સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. 6 એપ્રિલ 2026 ના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંભવિત ઉમેદવારોએ અત્યારથી જ ડોક્યુમેન્ટ્સ એકત્રિત કરવાની કામગીરી તેજ કરી દીધી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે હાઉસ ટેક્સ, શૌચાલયના દાખલા અને સંતાનોની સંખ્યા દર્શાવતા પ્રમાણપત્રો કઢાવવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. 11 એપ્રિલ સુધીમાં ફોર્મ ભરવાના હોવાથી રજાના દિવસોમાં પણ તૈયારીઓ ચાલી રહી છે.
ચૂંટણી પંચના નિયમ મુજબ, ઉમેદવારી નોંધાવવા માટે કુલ 9 પ્રકારના મહત્વના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. જેમાં જાતિનું પ્રમાણપત્ર, ક્લિયર હાઉસ ટેક્સની પહોંચ, શૌચાલય હોવા અંગેનો દાખલો, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અને સંતાનો અંગેનું સોગંદનામું મુખ્ય છે.
મહાનગરપાલિકામાં એક જ દિવસમાં 50 થી વધુ ઉમેદવારોએ આ દાખલાઓ માટે અરજી કરી છે. જોકે હજુ સુધી મુખ્ય પક્ષોએ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી નથી, તેમ છતાં ટિકિટની આશા રાખતા દાવેદારોએ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા દોડધામ શરૂ કરી દીધી છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…