Surendranagar

ઉજ્જૈનથી બાધા પૂરી કરી પરત ફરતા સુરેન્દ્રનગરના 3 મિત્રોને અકસ્માત, 2 યુવાનોના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર અને રતનપર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાના દર્શનાર્થે અને બાધા પૂરી કરવા ગયેલા ત્રણ જીગરજાન મિત્રોની કારને પરત ફરતી વખતે બદનાવર પાસે અકસ્માત નડ્યો હતો. માર્ગ પર એકાએક બાઇક આડું ઉતરતા સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં રતનપરના બે આશાસ્પદ ક્ષત્રિય યુવાનોના મોત નીપજ્યા છે. જ્યારે જોરાવરનગરનો અન્ય એક યુવક હાલ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, જોરાવરનગર અને મૂળ મૂળીના વતની (હાલ રતનપર) મિત્રો પોતાની i20 કાર લઈને ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા અને બાધા પૂરી કરવા માટે ગયા હતા. બાધા પૂરી કરી ખુશી-ખુશી પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક બાઇક ચાલક આડો ઉતરતા કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અને કાર ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી. અને 20 ફુટ ઉડી ખાઇમાં ખાબકી હતી

આ અકસ્માતમાં જોરાવરનગરના જયદીપસિંહ ઝાલા (ઉર્ફે ભયલુ)નું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા રતનપરના કાનભા પરમારનું પણ રતલામ ખાતે સારવાર દરમિયાન કરુણમોત નિપજ્યું હતું.

હજારોની મેદની વચ્ચે અંતિમ સંસ્કાર:

ક્ષત્રિય સમાજના બે આશાસ્પદ યુવાનોના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર ઝાલાવાડ પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. રતનપર ખાતે બંને મિત્રોની અંતિમવિધિ એકસાથે યોજાઈ હતી. જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સહિત હજારો લોકો ઉમટી પડ્યા હતા અને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.

એક યુવક ગંભીર સારવાર હેઠળ:

અકસ્માતમાં જોરાવરનગરના દંગી (કંસારા) પરિવારના યુવક યશ દંગી ને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તેને રતલામની હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આ બનાવ અંગે સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હસતા-રમતા દર્શન કરવા ગયેલા યુવાનોના પાર્થિવ દેહ ઘરે આવતા પરિવારો પર આભ ફાટ્યું છે.

User 3

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago