Surendranagar

ઉજ્જૈનથી બાધા પૂરી કરી પરત ફરતા સુરેન્દ્રનગરના 3 મિત્રોને અકસ્માત, 2 યુવાનોના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર અને રતનપર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાના દર્શનાર્થે અને બાધા પૂરી કરવા ગયેલા ત્રણ જીગરજાન મિત્રોની કારને પરત ફરતી વખતે બદનાવર પાસે અકસ્માત નડ્યો હતો. માર્ગ પર એકાએક બાઇક આડું ઉતરતા સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં રતનપરના બે આશાસ્પદ ક્ષત્રિય યુવાનોના મોત નીપજ્યા છે. જ્યારે જોરાવરનગરનો અન્ય એક યુવક હાલ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, જોરાવરનગર અને મૂળ મૂળીના વતની (હાલ રતનપર) મિત્રો પોતાની i20 કાર લઈને ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા અને બાધા પૂરી કરવા માટે ગયા હતા. બાધા પૂરી કરી ખુશી-ખુશી પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક બાઇક ચાલક આડો ઉતરતા કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અને કાર ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી. અને 20 ફુટ ઉડી ખાઇમાં ખાબકી હતી

આ અકસ્માતમાં જોરાવરનગરના જયદીપસિંહ ઝાલા (ઉર્ફે ભયલુ)નું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા રતનપરના કાનભા પરમારનું પણ રતલામ ખાતે સારવાર દરમિયાન કરુણમોત નિપજ્યું હતું.

હજારોની મેદની વચ્ચે અંતિમ સંસ્કાર:

ક્ષત્રિય સમાજના બે આશાસ્પદ યુવાનોના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર ઝાલાવાડ પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. રતનપર ખાતે બંને મિત્રોની અંતિમવિધિ એકસાથે યોજાઈ હતી. જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સહિત હજારો લોકો ઉમટી પડ્યા હતા અને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.

એક યુવક ગંભીર સારવાર હેઠળ:

અકસ્માતમાં જોરાવરનગરના દંગી (કંસારા) પરિવારના યુવક યશ દંગી ને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તેને રતલામની હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આ બનાવ અંગે સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હસતા-રમતા દર્શન કરવા ગયેલા યુવાનોના પાર્થિવ દેહ ઘરે આવતા પરિવારો પર આભ ફાટ્યું છે.

User 3

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago