સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક મોનિટરિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના પ્રયાસોના ભાગરૂપે આ સુવિધાથી હવે જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે અને ગંભીર દર્દીઓને ઘરઆંગણે જ ઉત્તમ સારવાર મળી રહેશે.
હોસ્પિટલના એનેસ્થેશિયોલોજી વિભાગને ‘રોગી કલ્યાણ સમિતિ’ના સહયોગથી ‘હાઈ-એન્ડ એનેસ્થેશિયા વર્કસ્ટેશન’ અર્પણ કરાયું છે. આ મશીન કાર્યરત થવાથી ઓપરેશન દરમિયાન દર્દીને અપાતી એનેસ્થેશિયાની પ્રક્રિયા અત્યંત ચોક્કસ અને સલામત બનશે. આધુનિક ડ્રગ ડિલિવરી સિસ્ટમ દ્વારા દવાનો ડોઝ સચોટ રીતે આપી શકાશે, જેનાથી સર્જરી દરમિયાન જોખમમાં નોંધપાત્ર ઘટાડો થશે.
આ વર્કસ્ટેશનમાં ફેફસાના ગંભીર રોગોથી પીડાતા અને લાંબી સર્જરી કરાવતા દર્દીઓ માટે અદ્યતન ‘વેન્ટિલેશન મોડ્સ’ ઉપલબ્ધ છે. તે હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને શરીરમાં ઓક્સિજનના સ્તર જેવી મહત્વપૂર્ણ વિગતોનું સેકન્ડ-ટુ-સેકન્ડ મોનિટરિંગ કરશે. જો આ માપદંડોમાં કોઈ ફેરફાર જણાશે, તો સિસ્ટમ તુરંત જ તબીબોને સતર્ક કરશે, જે દર્દીના જીવના જોખમને ટાળવામાં મદદરૂપ થશે.
આ નવી ટેકનોલોજી ખાસ કરીને હૃદયરોગ, શ્વસન સંબંધી તકલીફો ધરાવતા અથવા વૃદ્ધાવસ્થાના કારણે જોખમી ગણાતી સર્જરીઓને સુરક્ષિત બનાવશે. આ સુવિધાને કારણે સુરેન્દ્રનગરના ગંભીર દર્દીઓને સારવાર માટે અમદાવાદ કે અન્ય મોટા શહેરોમાં જવાની જરૂરિયાત રહેશે નહીં, જેનાથી સમય અને ખર્ચ બંનેની બચત થશે.
જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના આ પ્રયાસને સુરેન્દ્રનગર પંથકમાં આવકાર મળ્યો છે. આ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિક, વઢવાણના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમાર તથા તેમની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં ગેરકાયદેસર ખનિજ ચોરીના કેસમાં વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી…
સુરેન્દ્રનગરની જાણીતી સવા આયુષ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધી…
લીંબડી તાલુકાના રળોલ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય…
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…