સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં ગેરકાયદેસર ખનિજ ચોરીના કેસમાં વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણાને ખનિજ ચોરીમાં સંડોવણી બદલ તાત્કાલિક અસરથી તેમના પદ પરથી દૂર કરવાનો આદેશ જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો 8 ઓગસ્ટ, 2025 ના રોજ સામે આવ્યો હતો, જ્યારે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આસુન્દ્રાળી ગામમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સરકારી સર્વે નંબર 246 અને ખાનગી સર્વે નંબર 249 માંથી ગેરકાયદેસર કાર્બોસેલ (કોલસો) નું ખનન અને વેચાણ થતું હોવાનું પકડાયું હતું. વહીવટી તંત્રએ સ્થળ પરથી 1 ટ્રેક્ટર, 2 કમ્પ્રેસર અને 40 મેટ્રિક ટન કોલસો સહિત કુલ 11,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પદનો દુરુપયોગ કરવા બદલ નાયબ કલેક્ટરની દરખાસ્તને આધારે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસરપંચને હોદ્દા પરથી હટાવવાનો આદેશ આપ્યો છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…