સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં ગેરકાયદેસર ખનિજ ચોરીના કેસમાં વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણાને ખનિજ ચોરીમાં સંડોવણી બદલ તાત્કાલિક અસરથી તેમના પદ પરથી દૂર કરવાનો આદેશ જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો 8 ઓગસ્ટ, 2025 ના રોજ સામે આવ્યો હતો, જ્યારે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આસુન્દ્રાળી ગામમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સરકારી સર્વે નંબર 246 અને ખાનગી સર્વે નંબર 249 માંથી ગેરકાયદેસર કાર્બોસેલ (કોલસો) નું ખનન અને વેચાણ થતું હોવાનું પકડાયું હતું. વહીવટી તંત્રએ સ્થળ પરથી 1 ટ્રેક્ટર, 2 કમ્પ્રેસર અને 40 મેટ્રિક ટન કોલસો સહિત કુલ 11,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પદનો દુરુપયોગ કરવા બદલ નાયબ કલેક્ટરની દરખાસ્તને આધારે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસરપંચને હોદ્દા પરથી હટાવવાનો આદેશ આપ્યો છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…