Subscribe for notification
Categories: Dhrangadhra

સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર કટુડા નજીક ત્રિપલ અકસ્માત: 2ના મોત, 6ને ઈજા

સુરેન્દ્રનગર જિલ્લામાં રફ્તારના રાક્ષસો ફરી બેફામ બન્યા છે. ધાંગધ્રા રોડ પર આવેલા કટુડા ગામ નજીક એક કાર અને બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના કરુણ મોત નીપજ્યા છે.

આ અકસ્માતમાં અન્ય 6 જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યા છે. મોડી રાત્રે સર્જાયેલી આ ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને નિયંત્રિત કરવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, ધાંગધ્રા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે આગળ જઈ રહેલા બે બાઈક સવારોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મહેશભાઈ જેઠાભાઈ રબારી અને નાથાભાઈ રબારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

આ બંને મૃતક યુવકો સુરેન્દ્રનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જોરાવરનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

સુરેન્દ્રનગર ASP વૈદિકા બિહાનીએ જણાવ્યું હતું કે, કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે અને તાજેતરમાં જ તંત્ર દ્વારા 9 સ્થળોને ‘બ્લેક સ્પોટ’ જાહેર કરવામાં આવ્યા છે. વારંવારની અપીલ છતાં ઓવરસ્પીડ અને ટ્રાફિક નિયમોના ભંગને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. હાલ મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી વધુ તપાસ તેજ કરવામાં આવી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

2 days ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

2 days ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

2 days ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

2 days ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

2 days ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

2 days ago