Surendranagar

સુરેન્દ્રનગર: કલેક્ટરની અધ્યક્ષતામાં પુરવઠા જાળવણી બેઠક, સંગ્રહખોરી રોકવા મોનિટરિંગના કડક આદેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ, ઇંધણ અને ગેસનો પુરવઠો અવિરત મળી રહે તે માટે કલેક્ટર K. S. Yajnik ના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી.

કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોજિત આ જિલ્લા સ્તરીય સમિતિની બેઠકમાં સપ્લાય ચેઈન જાળવી રાખવા અને બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો 100% પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.

બેઠકમાં LPG સિલિન્ડરના ‘પેનિક બુકિંગ’ને રોકવા માટે એજન્સીઓ પર મોનિટરિંગ વધારવા સૂચના અપાઈ હતી. ખાસ કરીને હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં PNG નેટવર્કને પ્રાથમિકતા આપવા અને કાર્યરત વિસ્તારોમાં વધારાના સિલિન્ડર સરેન્ડર કરાવવા જણાવાયું હતું.

જિલ્લા પુરવઠા અધિકારી A. G. Gajjar એ માહિતી આપી હતી કે જિલ્લામાં યુરિયા અને DAP ખાતરનો પૂરતો સ્ટોક છે, તેમજ વાજબી ભાવની દુકાનો (FPS) પર ખાદ્ય અન્નનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે.

કલેક્ટરે પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને તાકીદ કરી હતી કે કોઈપણ ચીજવસ્તુની કાળાબજારી કે ડાયવર્ઝન ન થાય તે માટે ફિલ્ડમાં સતત ચેકિંગ હાથ ધરવું. ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર વિશેષ તકેદારી રાખી રહ્યું છે. અંતમાં, વહીવટી તંત્ર દ્વારા જનતાને સોશિયલ મીડિયાની અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં H. T. Makwana અને Harshdeep Acharya સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago