સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) માટે માઠા સમાચાર સામે આવ્યા છે, જેમાં કિશાન સેલના જિલ્લા ચેરમેન કિશોરસિંહ રાણાએ પોતાના પદ અને પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.
લીંબડીના વતની એવા કિશોરસિંહ રાણાએ પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને મોકલી આપ્યું છે, જેના કારણે જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. આ અગાઉ રાજુ કરપડાના રાજીનામા બાદ હવે કિશોરસિંહના પક્ષ છોડવાથી AAPને મોટો ફટકો પડ્યો છે.
કિશોરસિંહ રાણાએ તેમના રાજીનામા પત્રમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન ધીરે ધીરે નબળું પડી રહ્યું છે. તેમણે નેતૃત્વ પ્રત્યેની નારાજગી પણ વ્યક્ત કરી છે અને ઉમેર્યું છે કે પક્ષનું વર્ચસ્વ સતત ઘટી રહ્યું હોવાથી તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 2026 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપ, કોંગ્રેસ અને AAP તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે સંગઠનમાં પડતા આ ગાબડાં આગામી પરિણામો પર મોટી અસર કરી શકે છે. એક પછી એક હોદ્દેદારો પક્ષ છોડી રહ્યા હોવાથી કાર્યકરોમાં પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…