સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) માટે માઠા સમાચાર સામે આવ્યા છે, જેમાં કિશાન સેલના જિલ્લા ચેરમેન કિશોરસિંહ રાણાએ પોતાના પદ અને પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.
લીંબડીના વતની એવા કિશોરસિંહ રાણાએ પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને મોકલી આપ્યું છે, જેના કારણે જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. આ અગાઉ રાજુ કરપડાના રાજીનામા બાદ હવે કિશોરસિંહના પક્ષ છોડવાથી AAPને મોટો ફટકો પડ્યો છે.
કિશોરસિંહ રાણાએ તેમના રાજીનામા પત્રમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન ધીરે ધીરે નબળું પડી રહ્યું છે. તેમણે નેતૃત્વ પ્રત્યેની નારાજગી પણ વ્યક્ત કરી છે અને ઉમેર્યું છે કે પક્ષનું વર્ચસ્વ સતત ઘટી રહ્યું હોવાથી તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 2026 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપ, કોંગ્રેસ અને AAP તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે સંગઠનમાં પડતા આ ગાબડાં આગામી પરિણામો પર મોટી અસર કરી શકે છે. એક પછી એક હોદ્દેદારો પક્ષ છોડી રહ્યા હોવાથી કાર્યકરોમાં પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…