Limbdi

સુરેન્દ્રનગર ચૂંટણી પહેલા AAPમાં મોટું ગાબડું: કિશાન સેલના ચેરમેન કિશોરસિંહ રાણાનું રાજીનામું

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) માટે માઠા સમાચાર સામે આવ્યા છે, જેમાં કિશાન સેલના જિલ્લા ચેરમેન કિશોરસિંહ રાણાએ પોતાના પદ અને પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

લીંબડીના વતની એવા કિશોરસિંહ રાણાએ પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને મોકલી આપ્યું છે, જેના કારણે જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. આ અગાઉ રાજુ કરપડાના રાજીનામા બાદ હવે કિશોરસિંહના પક્ષ છોડવાથી AAPને મોટો ફટકો પડ્યો છે.

કિશોરસિંહ રાણાએ તેમના રાજીનામા પત્રમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન ધીરે ધીરે નબળું પડી રહ્યું છે. તેમણે નેતૃત્વ પ્રત્યેની નારાજગી પણ વ્યક્ત કરી છે અને ઉમેર્યું છે કે પક્ષનું વર્ચસ્વ સતત ઘટી રહ્યું હોવાથી તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે 2026 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપ, કોંગ્રેસ અને AAP તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે સંગઠનમાં પડતા આ ગાબડાં આગામી પરિણામો પર મોટી અસર કરી શકે છે. એક પછી એક હોદ્દેદારો પક્ષ છોડી રહ્યા હોવાથી કાર્યકરોમાં પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago