Surendranagar

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે 27 તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. વહીવટી સરળતા ખાતર નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં ફરજ બજાવતા 27 જેટલા તલાટી કમ મંત્રીઓની આંતરિક બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે.

30 માર્ચ 2026 ના રોજ કરાયેલી આ જાહેરાત બાદ સરકારી આલમમાં ‘ક્યાંક ખુશી તો ક્યાંક ગમ’ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે આ બદલીઓ અત્યંત મહત્વની માનવામાં આવે છે.

આ બદલીઓમાં લખતરના વણા, ચોટીલાના ધારૈઈ અને નાવા તેમજ સાયલાના ભાડુકા અને શિરવાણીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વઢવાણ તાલુકાના મોટા મઢાદ, ફુલગ્રામ અને મેમકા સહિતના ગામોના તલાટીઓને પણ અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે.

લિસ્ટ મુજબ લીંબડીના બોરણા, દોલતપર અને કમાલપર તેમજ મુળીના રામપરડા અને કળમાદ ગામના તલાટીઓની પણ બદલી કરવામાં આવી છે. દસાડાના ધામા અને ધ્રાંગધ્રાના રાજસીતાપુર જેવા મહત્વના ગ્રામ્ય વિસ્તારોમાં નવા તલાટીઓની નિમણૂક કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આ બદલીઓને રૂટિન પ્રક્રિયા ગણાવવામાં આવી છે, પરંતુ રાજકીય વિશ્લેષકો તેને આગામી ચૂંટણીઓની પૂર્વ તૈયારી તરીકે જોઈ રહ્યા છે. આ ફેરફારથી ગ્રામ્ય સ્તરે વહીવટી કામગીરીમાં નવી ઉર્જા આવશે તેમ મનાય છે. બદલી પામેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવા સ્થળે હાજર થવા સૂચના આપવામાં આવી છે. ચુડાના ગોખરવાડા અને ધ્રાંગધ્રાના કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં પણ આ ફેરબદલની સીધી અસર જોવા મળશે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

6 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

6 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago