સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. વહીવટી સરળતા ખાતર નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં ફરજ બજાવતા 27 જેટલા તલાટી કમ મંત્રીઓની આંતરિક બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે.
30 માર્ચ 2026 ના રોજ કરાયેલી આ જાહેરાત બાદ સરકારી આલમમાં ‘ક્યાંક ખુશી તો ક્યાંક ગમ’ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે આ બદલીઓ અત્યંત મહત્વની માનવામાં આવે છે.
આ બદલીઓમાં લખતરના વણા, ચોટીલાના ધારૈઈ અને નાવા તેમજ સાયલાના ભાડુકા અને શિરવાણીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વઢવાણ તાલુકાના મોટા મઢાદ, ફુલગ્રામ અને મેમકા સહિતના ગામોના તલાટીઓને પણ અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે.
લિસ્ટ મુજબ લીંબડીના બોરણા, દોલતપર અને કમાલપર તેમજ મુળીના રામપરડા અને કળમાદ ગામના તલાટીઓની પણ બદલી કરવામાં આવી છે. દસાડાના ધામા અને ધ્રાંગધ્રાના રાજસીતાપુર જેવા મહત્વના ગ્રામ્ય વિસ્તારોમાં નવા તલાટીઓની નિમણૂક કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આ બદલીઓને રૂટિન પ્રક્રિયા ગણાવવામાં આવી છે, પરંતુ રાજકીય વિશ્લેષકો તેને આગામી ચૂંટણીઓની પૂર્વ તૈયારી તરીકે જોઈ રહ્યા છે. આ ફેરફારથી ગ્રામ્ય સ્તરે વહીવટી કામગીરીમાં નવી ઉર્જા આવશે તેમ મનાય છે. બદલી પામેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવા સ્થળે હાજર થવા સૂચના આપવામાં આવી છે. ચુડાના ગોખરવાડા અને ધ્રાંગધ્રાના કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં પણ આ ફેરબદલની સીધી અસર જોવા મળશે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…