Subscribe for notification
Categories: Dhrangadhra

રાજસીતાપુરના યુવાનોએ 500 વર્ષ જૂની વાવમાં સ્વચ્છતા અભિયાન છેડ્યું: હેરિટેજમાં સમાવવા માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે ઐતિહાસિક વિરાસત પ્રત્યે જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ગામની રાજપૂત શેરીમાં આવેલી અંદાજે 500 વર્ષ જૂની પૌરાણિક ‘અંબાજીની વાવ’ લાંબા સમયથી ઉપેક્ષિત અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બિસ્માર હાલતમાં હતી.

આ ઐતિહાસિક સ્થાપત્યની જાળવણી માટે તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા, અંતે ગામના યુવાનોએ ‘જાત મહેનત ઝિંદાબાદ’નું સૂત્ર સાર્થક કર્યું છે. યુવાનોએ સ્વખર્ચે અને લોકફાળો એકત્રિત કરીને આ વાવની સંપૂર્ણ સાફ-સફાઈ હાથ ધરી તેને પુનઃ ભવ્ય સ્વરૂપ આપ્યું છે.

આ વાવ ધ્રાંગધ્રાના પ્રખ્યાત પથ્થરો પર કરવામાં આવેલી સુંદર કોતરણી માટે જાણીતી છે, જેમાં અંબાજી માતાજી, હનુમાનજી અને ગણેશજીના મંદિરો પણ આવેલા છે. કલા અને સંસ્કૃતિનો બેનમૂન નમૂનો હોવા છતાં પુરાતત્વ વિભાગની ઉદાસીનતાને કારણે આ વાવ ખંડેર બની રહી હતી.

હવે ગ્રામજનોની પ્રબળ માંગ છે કે આ 500 વર્ષ જૂની ઈમારતને હેરિટેજ લિસ્ટમાં સમાવવામાં આવે, જેથી તેની કાયમી જાળવણી થઈ શકે અને આવનારી પેઢી આ ભવ્ય ઇતિહાસથી માહિતગાર રહી શકે. યુવાનોના આ પ્રયાસની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

10 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago