Subscribe for notification

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી વરસાદે અગરિયાઓની કમર તોડી નાખી છે.

રણમાં મીઠું પકવતા અંદાજે 5,000 થી વધુ અગરિયાઓના તૈયાર મીઠાના પાટામાં ધૂળ જામી જવાથી ક્વોલિટી બગડી છે, જ્યારે અનેક સોલાર પ્લેટો અને ઘરવખરી ઉડી જવાથી વ્યાપક નુકસાન થયું છે. આ કપરી પરિસ્થિતિની ગંભીરતા જોઈને પાટડીના ધારાસભ્ય પી.કે. પરમારે મેદાનમાં આવી અગરિયાઓની વહારે ધાવા સરકારને અપીલ કરી છે.

ધારાસભ્ય પી.કે. પરમારે રણ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ અગરિયાઓની વાસ્તવિક સ્થિતિ જાણી હતી. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે અસરગ્રસ્ત અગરિયાઓ માટે કુલ 220 કરોડ રૂપિયાનું વિશેષ બજેટ જાહેર કરવામાં આવે.

વધુમાં, તેમણે પ્રત્યેક અગરિયા પરિવારને થયેલા નુકસાનના વળતર રૂપે 44,000 રૂપિયાની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવા રજૂઆત કરી છે. વાવાઝોડાને કારણે એક અગરિયા દીઠ સરેરાશ 50,000 રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે, જેના કારણે હાલ રણના રત્નોની હાલત અત્યંત કફોડી બની છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

2 days ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

2 days ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

2 days ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

2 days ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

2 days ago

વ્યાજખોરનો ત્રાસ: ચુડાના કોરડા ગામે 2 લાખના બદલામાં 6 લાખની ઉઘરાણી અને મારી નાખવાની ધમકી

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મકાન કામના…

2 days ago