Categories: Dasada-Patdi

પાટડીના મુખ્ય બજારમાંથી અડચણરૂપ લારીઓ અને દબાણો દૂર કરાયા

પાટડી નગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સઘન દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી બજારના મુખ્ય માર્ગો પર શાકભાજી, ફ્રુટ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા લારી ધારકોને કારણે અવારનવાર ટ્રાફિક જામ સર્જાતો હતો, જેનાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકો પરેશાન હતા.

નગરપાલિકાના વહીવટદાર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ દબાણ શાખાની ટીમ હરકતમાં આવી હતી અને માર્ગ પર ઉભેલી લારીઓને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

આ કામગીરી દરમિયાન માત્ર લારી ધારકો જ નહીં, પરંતુ દુકાનની બહાર સામાન રાખી માર્ગ રોકનાર વેપારીઓને પણ કડક સૂચના આપવામાં આવી હતી. પાટડી નગરપાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર, હાલ પ્રાથમિક તબક્કે લારીઓ હટાવવાની કામગીરી કરવામાં આવી છે, પરંતુ આગામી દિવસોમાં પાકા દબાણો અને ગેરકાયદેસર બાંધકામો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

તંત્રની આ આક્રમક કામગીરીથી બજારમાં અવરજવર કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પાલિકાની આ ઝુંબેશને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

user 2

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago