Surendranagar Farmers Protest : સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં પાવર ગ્રીડ (Power Grid) કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં બળજબરીપૂર્વક વીજપોલ ઊભા કરવાની ચાલી રહેલી કામગીરી સામે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે.
હાલના તબક્કામાં સુરેન્દ્રનગર, મોરબી (Morbi) અને સાણંદ (Sanand) પંથકમાં પાવર ગ્રીડ કંપની (Power Grid Company) દ્વારા ખેડૂતોને પૂરતું વળતર (Compensation) ચૂકવ્યા વિના, ખેતરોમાં બેફામ ખોદકામ કરીને દાદાગીરીથી કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ અન્યાય સામે પોતાના હક્ક માટે ખેડૂતો હવે રસ્તા પર ઉતર્યા છે, અને કિસાન કૉંગ્રેસ (Kisan Congress) પણ ખેડૂતોના સમર્થનમાં જોડાઈ છે.
આ વિવાદને પગલે ખેડૂતો અને કૉંગ્રેસના (Congress) આગેવાનોએ સુરેન્દ્રનગરના જૈનાબાદ-બહુચરાજી હાઈવે (Zainabad-Becharaji Highway) પર બેસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન (Protest) કર્યું હતું અને હાઈવે ચક્કાજામ (Chakka Jam) કરી દીધો હતો. ખેડૂતોની મુખ્ય માંગ છે કે તેમને જમીનનું પૂરતું વળતર આપવામાં આવે, સત્તાવાળાઓ દ્વારા થતી દમનગીરી બંધ થાય અને કંપની નિર્ધારિત કોરિડોરમાં (Corridor) રહીને જ કામગીરી કરે.
આ ઉપરાંત ખેડૂતો સાથે ગેરવર્તણૂક કરનારા અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ પણ ઉઠી છે. હાઈવે પર ચક્કાજામના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મોટો ટ્રાફિક જામ (Traffic Jam) સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ દસાડા પોલીસની (Dasada Police) ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખેડૂતો અને નેતાઓ મક્કમ રહેતા આખરે હાઈવે ચક્કાજામ કરનાર કૉંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ અને ખેડૂતોની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી.
અટકાયત કરાયેલા તમામ લોકોને દસાડા પોલીસ સ્ટેશન (Police Station) ખાતે નજરકેદ રાખવામાં આવ્યા છે. વીજપોલના મુદ્દે ખેડૂતોના આ આક્રમક તેવર બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં આ મામલે ગરમાયેલું રાજકારણ (Politics) વધુ ઉગ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…