Dasada-Patdi

પાટડી સેવા સદનમાં વોટર કૂલર બંધ રહેતા અરજદારોને ભર ઉનાળે પીવાના પાણી માટે ફાંફા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સેવા સદન ખાતે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ઝાલાવાડમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે દસાડા તાલુકાના 90 થી વધુ ગામોમાંથી આવતા અરજદારો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.

સેવા સદનમાં લાખોના ખર્ચે મુકવામાં આવેલા વોટર કૂલર છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી અરજદારોને બહારથી મોંઘા ભાવે પાણીની બોટલો ખરીદવાની નોબત આવી છે.

પીવાના પાણીની સમસ્યા ઉપરાંત, કચેરીમાં બેઠક વ્યવસ્થાનો પણ ભારે અભાવ જોવા મળી રહ્યો છે. પૂરતી ખુરશીઓ ન હોવાને કારણે દૂર-દૂરથી આવતા સિનિયર સિટીઝન અને મહિલા અરજદારો કાળઝાળ ગરમીમાં જમીન પર બેસવા મજબૂર બન્યા છે.

વકીલો માટે પણ કોઈ અલગ બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ નથી. કરોડોના ખર્ચે બનેલા આધુનિક સેવા સદનમાં પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું હોવાથી સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. અરજદારોની માંગ છે કે જવાબદાર તંત્ર વહેલી તકે વોટર કૂલર રિપેર કરાવે અને પીવાના પાણી તેમજ બેઠક વ્યવસ્થા જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડે.

user 2

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago