Subscribe for notification
Categories: Muli

મુળીમાં વ્યાજખોરોના ત્રાસથી ગઢડાના ખેડૂતે ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે રહેતા 35 વર્ષીય ખેડૂત ગોપાલભાઈ ઈશ્વરભાઈ બાવળીયાએ વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને પોતાના જ ખેતરમાં મોનોકોટા નામની ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

મૃતક ગોપાલભાઈએ આર્થિક સંકળામણને કારણે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી આશરે 35 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રકમ પર વ્યાજખોરો 10% થી 20% જેટલું અધધ વ્યાજ વસૂલતા હતા. મૃતકના ભાઈ વિપુલભાઈના જણાવ્યા અનુસાર, વ્યાજની પઠાણી ઉઘરાણી સામે ગોપાલભાઈએ પોતાની હિસ્સાની 7 વીઘા જમીન પણ વ્યાજખોરોના નામે લખી આપી હતી. તેમ છતાં, દિલીપસિંહ, ધીરુભાઈ, કાળુભાઈ, વિહાભાઈ અને દેવાયતભાઈ નામના શખ્સો સતત ફોન પર ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજારતા હતા. અંતે, કોઈ રસ્તો ન જણાતા ખેડૂતે આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હતું.

આ ઘટના બાદ સુરેન્દ્રનગર પોલીસ હરકતમાં આવી છે. ASP વૈદિકા બિહાનીએ જણાવ્યું હતું કે, વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે આગામી 22 માર્ચના રોજ પોલીસ તાલીમ ભવન ખાતે વિશેષ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીડિતો પોતાની અરજી આપી શકશે અને જરૂરિયાતમંદોને સરકારી બેંકો મારફતે લોન અપાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. હાલમાં પોલીસે પાંચેય વ્યાજખોરો વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી છે.

user 2

Share
Published by
user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

4 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago