સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર આવેલા રાજ સીતાપુર રેલવે ફાટક પાસે ફાટકમેનની ઘોર બેદરકારી સામે આવી છે. ટ્રેન આવવાના સમયે ફાટક બંધ કરતી વખતે ટ્રેક પર પસાર થઈ રહેલા વાહનોને બહાર નીકળવાની તક આપ્યા વગર જ ફાટક બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે ગુજરાત એસટી બસ અને અન્ય ખાનગી વાહનો બે ફાટકની વચ્ચે રેલવે ટ્રેક પર જ ફસાઈ ગયા હતા.
અચાનક ફાટક બંધ થઈ જતાં વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, વાહનચાલકોએ સમયસૂચકતા વાપરી વાહનોને ટ્રેકની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ખસેડી લેતા મોટી જાનહાનિ ટળી હતી. ટ્રેન પસાર થયા બાદ વાહનચાલકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી બેદરકાર ફાટકમેન વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી છે. સ્થાનિકોના મતે, વાહનો સંપૂર્ણ પસાર થઈ જાય તેની ખાતરી કર્યા બાદ જ ફાટક બંધ કરવું જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…