Muli

મુળીમાં ખેડૂતો ‘ખેડૂત પેનલ’ બનાવી ભાજપ-કોંગ્રેસ સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજકીય માહોલ ગરમાયો છે. આ વખતે મૂળી તાલુકાના ખેડૂતોએ પ્રસ્થાપિત રાજકીય પક્ષો સામે બંડ પોકાર્યો છે.

ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પર ભરોસો રાખવાને બદલે ખેડૂતોએ પોતાની સ્વતંત્ર ‘ખેડૂત પેનલ’ બનાવી ચૂંટણી લડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. મૂળી તાલુકા પંચાયતની તમામ 18 બેઠકો અને જિલ્લા પંચાયતની 03 બેઠકો (મૂળી-01, મૂળી-02 અને સરા) પર ખેડૂતો પોતાના ઉમેદવારો ઉતારશે.

ખેડૂતોમાં આ રોષ પાછળ મુખ્ય કારણો સિંચાઈના પાણીની સમસ્યા, જણસના અપૂરતા ભાવ અને ખેતી માટે જરૂરી યુરિયા-ડીએપી ખાતર તેમજ બિયારણની અછત છે.

ખેડૂત આગેવાનોનું કહેવું છે કે દર વર્ષે રજૂઆતો કરવા છતાં કોઈ પણ પક્ષ તેમના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી. ગત ચૂંટણીમાં કોંગ્રેસની નિષ્ક્રિયતાને કારણે કેટલીક બેઠકો બિનહરીફ થઈ હતી, પરંતુ આ વખતે ખેડૂતો જ્ઞાતિ-જાતિના વાડાઓથી ઉપર ઉઠીને માત્ર ‘ખેડૂત’ ઓળખ સાથે મેદાને પડશે.

આ નિર્ણયથી સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. ખેડૂત પેનલના આગમનથી હવે મૂળી તાલુકામાં ત્રિપાંખિયાને બદલે ચતુષ્કોણીય જંગ ખેલાશે, જેની સીધી અસર ભાજપ અને કોંગ્રેસની વોટબેંક પર પડી શકે છે. જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, ત્યારે આ પેનલના ઉમેદવારો સત્તાવાર રીતે પોતાની દાવેદારી નોંધાવશે.

આ પહેલથી પરંપરાગત રાજકીય પક્ષોમાં ફફડાટ ફેલાયો છે અને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત પેનલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો ખેડૂતો એકજુથ થઈને મતદાન કરશે, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક આવી શકે છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

1 day ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

1 day ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

1 day ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

1 day ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

1 day ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

1 day ago