Categories: Uncategorized

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે વાસ્તુના પ્રસંગમાં છાશ પીધા બાદ 100 થી વધુને અસર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે વાસ્તુના પ્રસંગમાં છાશ પીધા બાદ 100 થી વધુને આસર

 100 થી વધુ લોકોની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા તમામની સ્થિતિ સુધારા પર

વઢવાણ લીંબડી અને આજુબાજુના ખાનગી હોસ્પિટલમાં ભોગ બનનાર ગ્રામજનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા..

ગામમાં આરોગ્યની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે ઘરના વાસ્તુ પ્રસંગે ઝેરી ખોરાકની 100 થી વધુ લોકોને અસર થઈ છે ત્યારે ઝાડા ઉલટી અને તાવ અને પગ પકડાઈ જવાની ઘટનાઓ બની જવા પામી છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે મહેશ પટેલ અને તેમના પરિવારજનો દ્વારા નવું મકાન બનાવવામાં આવ્યું હતું અને તેનો વાસ્તુનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. આજુબાજુ સહિતના ગ્રામજનો ને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને 600 લોકો ને વાસ્તુના પ્રસંગમાં ભોજન પીરસાયું હતું.

પરંતુ તે દરમિયાન વાસ્તુના પ્રસંગમાં છાશ પીધા બાદ 100થી વધુ લોકોની તબિયત લથડી જવા પામી હતી પ્રાથમિક તબક્કામાં આજુબાજુના ખાનગી ક્લિનિકોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ભોગ બનના લોકોની હાલત ગંભીર હોવાના કારણે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ લીંબડીની આરઆર હોસ્પિટલમાં અને આજુબાજુના સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જોકે આ બાબતને જાણ થતા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને આ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યું હતું. ગામમાં જ ભોગ બનનાર તમામ લોકોને સારવાર મળી રહે તે બદલ 6 જેટલી ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી જે લોકોએ ભોજન આરોગ્ય હતું તેમની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી નાના બાળકો મહિલાઓ વૃદ્ધોની તબિયત ઉપર ભારે અસર જોવા મળી હતી સારવાર બાદ તમામની તબિયત સારી થતા તમામને હોસ્પિટલથી રજા અપાઇ હતી

ઘેરઘેર આરોગ્યટીમે તપાસ કરી

નાના એવા ગોમટા ગામમાં ફૂડ પોઝિંગ ની અસર થતા ગામમાં પણ ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો ઘરઘરે માદગીના ખાટલાઓ જોવા મળ્યા હતા અને ફળિયામાં જ ખાટલા નાખી અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ભોગબનાર લોકોની સારવાર શરૂ કરવામાં આવી હતી. વધુ તબિયત લથડતી હોય તો તેમને સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

તમામ આઇટમના નમુના લેવાયા

સમગ્ર ઘટનાને લઇ ઝેરી ખોરાકના નમૂના લેવાયા હતા આ સંદર્ભે હાલમાં એક જ ગામમાં 100 થી વધુ લોકોને ઝેરી ખોરાકની અસર થઈ જતા આરોગ્ય વિભાગની ટીમોમાં પણ દોડધામ મચી છે સરપંચ સહિતના આગેવાનો પણ ઝેરી ખોરાકની અસરનો ભોગ બની ગયા છે ત્યારે આ મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

jeet

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

3 days ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

4 days ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

4 days ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

4 days ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

4 days ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

1 week ago