Categories: Uncategorized

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે વાસ્તુના પ્રસંગમાં છાશ પીધા બાદ 100 થી વધુને અસર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે વાસ્તુના પ્રસંગમાં છાશ પીધા બાદ 100 થી વધુને આસર

 100 થી વધુ લોકોની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા તમામની સ્થિતિ સુધારા પર

વઢવાણ લીંબડી અને આજુબાજુના ખાનગી હોસ્પિટલમાં ભોગ બનનાર ગ્રામજનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા..

ગામમાં આરોગ્યની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે ઘરના વાસ્તુ પ્રસંગે ઝેરી ખોરાકની 100 થી વધુ લોકોને અસર થઈ છે ત્યારે ઝાડા ઉલટી અને તાવ અને પગ પકડાઈ જવાની ઘટનાઓ બની જવા પામી છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે મહેશ પટેલ અને તેમના પરિવારજનો દ્વારા નવું મકાન બનાવવામાં આવ્યું હતું અને તેનો વાસ્તુનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. આજુબાજુ સહિતના ગ્રામજનો ને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને 600 લોકો ને વાસ્તુના પ્રસંગમાં ભોજન પીરસાયું હતું.

પરંતુ તે દરમિયાન વાસ્તુના પ્રસંગમાં છાશ પીધા બાદ 100થી વધુ લોકોની તબિયત લથડી જવા પામી હતી પ્રાથમિક તબક્કામાં આજુબાજુના ખાનગી ક્લિનિકોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ભોગ બનના લોકોની હાલત ગંભીર હોવાના કારણે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ લીંબડીની આરઆર હોસ્પિટલમાં અને આજુબાજુના સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જોકે આ બાબતને જાણ થતા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને આ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યું હતું. ગામમાં જ ભોગ બનનાર તમામ લોકોને સારવાર મળી રહે તે બદલ 6 જેટલી ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી જે લોકોએ ભોજન આરોગ્ય હતું તેમની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી નાના બાળકો મહિલાઓ વૃદ્ધોની તબિયત ઉપર ભારે અસર જોવા મળી હતી સારવાર બાદ તમામની તબિયત સારી થતા તમામને હોસ્પિટલથી રજા અપાઇ હતી

ઘેરઘેર આરોગ્યટીમે તપાસ કરી

નાના એવા ગોમટા ગામમાં ફૂડ પોઝિંગ ની અસર થતા ગામમાં પણ ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો ઘરઘરે માદગીના ખાટલાઓ જોવા મળ્યા હતા અને ફળિયામાં જ ખાટલા નાખી અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ભોગબનાર લોકોની સારવાર શરૂ કરવામાં આવી હતી. વધુ તબિયત લથડતી હોય તો તેમને સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

તમામ આઇટમના નમુના લેવાયા

સમગ્ર ઘટનાને લઇ ઝેરી ખોરાકના નમૂના લેવાયા હતા આ સંદર્ભે હાલમાં એક જ ગામમાં 100 થી વધુ લોકોને ઝેરી ખોરાકની અસર થઈ જતા આરોગ્ય વિભાગની ટીમોમાં પણ દોડધામ મચી છે સરપંચ સહિતના આગેવાનો પણ ઝેરી ખોરાકની અસરનો ભોગ બની ગયા છે ત્યારે આ મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago