સુરેન્દ્રનગરમાં વરસાદ થી કપાસ મગફળી સહિતના પાકોને નુકસાન..
ખેડૂતો મુકાયા ચિંતામાં..
રાત્રી દરમ્યાન થયેલા વરસાદ થી કપાસ પલળી ગયો..
સમગ્ર ગુજરાત રાજ્યમાં પાંચ દિવસ માવઠાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મોડી રાત્રે અચાનક ધોધમાર વરસાદથી ખેડૂતોના જીવતા ચોંટી ગયા છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે મગફળી કપાસ એરંડા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં કપાસ વિરાટ કામ ચાલી રહ્યો છે અને મગફળી પણ જમીનમાંથી ઉલેચવામાં આવી રહી છે.ત્યારે તૈયાર થઈ ગયેલા પાક લેવાની સીઝન શરૂ થતા ની સાથે જ માવઠું વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે વઢવાણ સહિતના તાલુકાઓમાં મોડી રાત્રે માવઠું વરસવા પામ્યું છે જેને લઇને કપાસ પલળી જવા પામ્યો છે અને જે જીંડવાઓ છે તેની ઉપર કપાસ ઉગ્યો હતો તે જમીન ઉપર નીચે પડી જવા પામ્યો છે જેને લઇને તેની કોલેટી ખરાબ થઈ રહી છે એક બાજુ પૂરતા ભાવ નથી મળી રહ્યા બીજી બાજુ વરસાદથી કોલેટી ખરાબ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને પૂરતા ભાવ નહીં મળી શકે તેવી ચિંતા પણ વ્યક્ત કરી છે.
બીજી તરફ મગફળી જમીનમાંથી બહાર કાઢવા માં આવી રહી છે તે પણ પલડી જવા પામી છે તેની પણ કોલેટી ખરાબ થાય તેવી શક્યતાઓ ખેડૂતોએ વ્યક્ત કરી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 2024 ના વર્ષમાં પાક નુકસાન વળતરમાં 75,000 જેટલા ખેડૂતો હજુ પણ વળતર થી વંચિત છે ત્યારે બીજી બાજુ 2025 ના વર્ષમાં પાંચ જિલ્લામાં પાક નુકસાનના નામે 900 કરોડથી વધુની સહાય જાહેર કરવામાં આવી છે પરંતુ તેમાં સુરેન્દ્રનગર જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે..
સતત માવઠાનો માર સહન કરી ખેડૂત ખેતી કરી રહ્યો છે પરંતુ હવે તેની આર્થિક પરિસ્થિતિ કફોડી બનતી જઈ રહી છે મોંઘુ બિયારણ મોંઘી દવાઓ અને મોંઘુ ખાતર નાખી અને મહેનત કરી વાવેતર કર્યું પરંતુ મોઢામાં આવેલો કોડિયો છે તે માવઠા દ્વારા છીનવી લેવામાં આવ્યો છે માવઠાથી વ્યાપક નુકસાન છે ત્યારે હવે ખેડૂતોએ સરકાર પાસે લલકાર લગાવી છે અને સહાય રૂપી પેકેજ જાહેર કરી અને યોગ્ય વળતર માંગ પણ કરવામાં આવી છે બીજી બાજુ ટેકાના ભાવે જ્યારે કપાસની ખરીદી થાય ત્યારે ક્વોલિટીમાં બાંધછોડ કરવાની માંગ પણ ખેડૂતો દ્વારા હાલ કરવામાં આવી છે
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…