Categories: Uncategorized

સુરેન્દ્રનગરઃ આવાસ યોજનામાં પાણી-સ્વચ્છતાનો અભાવ; લોકોમાં રોષ

Surendranagar Awas Yojana | સુરેન્દ્રનગર (Surendranagar) મહાનગરપાલિકા બન્યા બાદ પણ શહેરી વિસ્તારના લોકોને પાયાની સુવિધાઓ મેળવવા માટે વલખાં મારવા પડી રહ્યા છે.

શહેરમાં કરોડો રૂપિયાનું બજેટ (Budget) હોવા છતાં, રોડ-રસ્તા, નિયમિત પીવાનું પાણી (Drinking Water) અને સ્વચ્છતા (Cleanliness) જેવી પ્રાથમિક સુવિધાઓનો (Basic Amenities) મોટો અભાવ જોવા મળી રહ્યો છે. તંત્રની આ નિષ્ક્રિય કામગીરીને કારણે સ્થાનિક કરદાતાઓમાં ભારે રોષ અને અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે.

આવો જ એક ગંભીર કિસ્સો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipality) દ્વારા સંચાલિત આવાસ યોજનામાં (Awas Yojana) સામે આવ્યો છે. શહેરની ફિરદોષ સોસાયટી (Firdosh Society) નજીક આવાસ યોજના અંતર્ગત 4 માળના મકાનો (4 Storey Buildings) બનાવીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ફાળવવામાં આવ્યા છે.

જોકે, આ વિસ્તારમાં હાલ પીવાનું પૂરતું પાણી જ નથી મળી રહ્યું, જેના કારણે લોકોને મોંઘા ભાવે પાણી વેચાતું લેવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત, આખોય વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે, અને તંત્રના વાંકે સ્થાનિકો પોતે જ ગંદકી સાફ કરવા મજબૂર બન્યા છે.

આ સરકારી આવાસમાં હાલ અંદાજિત 200 થી વધુ પરિવારો (Families) વસવાટ કરે છે. પ્રાથમિક સુવિધાઓના આ ગંભીર અભાવ મુદ્દે ત્રસ્ત બનેલા સ્થાનિકોએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને (Government Officials) લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે.

સ્થાનિકોએ આ વિસ્તારમાં તાત્કાલિક પીવાનું પાણી પૂરું પાડવા તેમજ સ્વચ્છતા અને ભૂગર્ભ ડ્રેનેજ (Underground Drainage) લાઈનની પ્રોપર સાફ-સફાઈ કરાવવાની માંગ કરી છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા રહિશોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં તેમને આ પ્રાથમિક સુવિધાઓ નહીં મળે, તો તેઓ ઉગ્ર આંદોલનનો (Protest) માર્ગ અપનાવશે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago