સુરેન્દ્રનગર: લાભપાંચમના દિવસે, સુરેન્દ્રનગર-દૂધરેજ રોડ પર સાંસદ ચંદુભાઈ શિહોરા દ્વારા તેમના સમર્પણ મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે, સાંસદ ચંદુભાઈ શિહોરાએ તેમના વિસ્તારના તમામ લોકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.
તેમણે જણાવ્યું કે, આ નવું વર્ષ સૌના માટે સુખદાયી, ફળદાયી અને આરોગ્યપ્રદ નીવડે તેવી માં ભગવતીને હૃદયપૂર્વક પ્રાર્થના છે.
નવા કાર્યાલયની સ્થાપના વિશે માહિતી આપતા સાંસદ ચંદુભાઈ શિહોરાએ વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “આ કાર્યાલય મુખ્ય રોડ (રસ્તા) પર જ આવેલું હોવાથી મારા વિસ્તારના કોઈપણ વ્યક્તિને તેને શોધવા કે પૂછવાની જરૂર નહીં પડે.”
આ કાર્યાલયનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે વિસ્તારના લોકો ગમે ત્યારે અહીં આવીને તેમને મળી શકે, પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે, અને તે પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા માટે તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહેશે.
સાંસદે સમગ્ર વિસ્તારની જનતાને તેમના આ કાર્યાલયની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. તેમણે ખાતરી આપી કે તેઓ લોકોના પ્રશ્નોના ઉકેલ માટે હંમેશ જાગૃત રહીને કાર્ય કરતા રહેશે. અંતમાં, તેમણે સૌને નવા વર્ષના રામ રામ કહીને શુભેચ્છાઓ આપી હતી.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…