સુરેન્દ્રનગર: લાભપાંચમના દિવસે, સુરેન્દ્રનગર-દૂધરેજ રોડ પર સાંસદ ચંદુભાઈ શિહોરા દ્વારા તેમના સમર્પણ મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે, સાંસદ ચંદુભાઈ શિહોરાએ તેમના વિસ્તારના તમામ લોકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.
તેમણે જણાવ્યું કે, આ નવું વર્ષ સૌના માટે સુખદાયી, ફળદાયી અને આરોગ્યપ્રદ નીવડે તેવી માં ભગવતીને હૃદયપૂર્વક પ્રાર્થના છે.
નવા કાર્યાલયની સ્થાપના વિશે માહિતી આપતા સાંસદ ચંદુભાઈ શિહોરાએ વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “આ કાર્યાલય મુખ્ય રોડ (રસ્તા) પર જ આવેલું હોવાથી મારા વિસ્તારના કોઈપણ વ્યક્તિને તેને શોધવા કે પૂછવાની જરૂર નહીં પડે.”
આ કાર્યાલયનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે વિસ્તારના લોકો ગમે ત્યારે અહીં આવીને તેમને મળી શકે, પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે, અને તે પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા માટે તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહેશે.
સાંસદે સમગ્ર વિસ્તારની જનતાને તેમના આ કાર્યાલયની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. તેમણે ખાતરી આપી કે તેઓ લોકોના પ્રશ્નોના ઉકેલ માટે હંમેશ જાગૃત રહીને કાર્ય કરતા રહેશે. અંતમાં, તેમણે સૌને નવા વર્ષના રામ રામ કહીને શુભેચ્છાઓ આપી હતી.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…