સુરેન્દ્રનગર: લાભપાંચમના દિવસે, સુરેન્દ્રનગર-દૂધરેજ રોડ પર સાંસદ ચંદુભાઈ શિહોરા દ્વારા તેમના સમર્પણ મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે, સાંસદ ચંદુભાઈ શિહોરાએ તેમના વિસ્તારના તમામ લોકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.
તેમણે જણાવ્યું કે, આ નવું વર્ષ સૌના માટે સુખદાયી, ફળદાયી અને આરોગ્યપ્રદ નીવડે તેવી માં ભગવતીને હૃદયપૂર્વક પ્રાર્થના છે.
નવા કાર્યાલયની સ્થાપના વિશે માહિતી આપતા સાંસદ ચંદુભાઈ શિહોરાએ વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “આ કાર્યાલય મુખ્ય રોડ (રસ્તા) પર જ આવેલું હોવાથી મારા વિસ્તારના કોઈપણ વ્યક્તિને તેને શોધવા કે પૂછવાની જરૂર નહીં પડે.”
આ કાર્યાલયનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે વિસ્તારના લોકો ગમે ત્યારે અહીં આવીને તેમને મળી શકે, પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે, અને તે પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા માટે તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહેશે.
સાંસદે સમગ્ર વિસ્તારની જનતાને તેમના આ કાર્યાલયની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. તેમણે ખાતરી આપી કે તેઓ લોકોના પ્રશ્નોના ઉકેલ માટે હંમેશ જાગૃત રહીને કાર્ય કરતા રહેશે. અંતમાં, તેમણે સૌને નવા વર્ષના રામ રામ કહીને શુભેચ્છાઓ આપી હતી.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…