Thangadh

જમીન વિવાદમાં ફાયરિંગ: થાનગઢ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા

જમીનના મનદુઃખમાં ફાયરિંગ: થાનગઢ પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગર : થાનગઢ ખાતે જમીન બાબતના જૂના મનદુઃખમાં થયેલા ફાયરિંગ અને હુમલાના કેસમાં ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા છે.

ગત તા. ૧૨/૧૦ ના સાંજે થાનગઢના દરબારગઢ શેરી, ધોળેશ્વર સ્કૂલ સામેના વિસ્તારમાં આ ઘટના બની હતી. આરોપીના મામાની જમીન બાબતે થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી આરોપીઓએ ફરિયાદીના પરિવારના સભ્યોને ગાળો આપી પિસ્તોલ વડે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને બીજો રાઉન્ડ ફરિયાદી તરફ તાક્યો હતો, જે મિસ ફાયર થયો હતો. એટલું જ નહીં, આરોપીઓએ લોખંડના પાઇપ વડે ફરિયાદીના દાદાને માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી, જેના કારણે તેમને સાત ટાંકા આવ્યા હતા, અને તલવાર વડે ફરિયાદીના જમણા હાથના પંજા પર ફ્રેક્ચર જેવી ઇજાઓ કરી હતી. આરોપીઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હતો.

થાનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. લીંબડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ થાનગઢ પી.આઈ. વી.કે. ખાટ સાહેબની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને જયપાલભાઈ ઉર્ફે ભાણો રઘુભાઈ સીંધવ, રાહુલભાઈ ઉર્ફે ચોટી દિનેશભાઈ પરમાર અને મેહુલભાઈ ઉર્ફે ઘોધો બહાદુરભાઈ ધોળકીયા (તમામ રહે. થાનગઢ) ને ઝડપી પાડ્યા છે. પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે. પોલીસે તેમની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago