Categories: Uncategorized

વઢવાણના ધોળીપોળમાં પીજીવીસીએલની બેદરકારીને કારણે બેનર લગાવવા ગયેલા એક યુવકનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું.

વઢવાણ ધોળીપોળમાં PGVCLની બેદરકારી બેનર લગાવવા ગયેલા યુવકને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયુ

સેવાભાવી યુવાનોએ 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયો સારવાર દરમ્યાન મોત નીપજ્યુ

સુરેન્દ્રનગર : વઢવાણ શહેરના ધોળીપોળ વિસ્તારમાં પીજીવીસીએલ (PGVCL) વિભાગની ઘોર બેદરકારીના આક્ષેપો સાથે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ આક્રોશનું તાત્કાલિક કારણ એ બન્યું કે બેનર લગાવવાની કામગીરી કરી રહેલા એક સેવાભાવી યુવાનને અચાનક ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો.

મળતી માહિતી મુજબ, મુન્નાભાઈ ચાવડા નામના સેવાભાવી યુવાન ધોળીપોળ દરવાજા ઉપર બેનર લગાવી રહ્યા હતા. તે જ સમયે, કોઈ અગમ્ય કારણોસર તેમને ઇલેક્ટ્રિક શોક લાગતા તાત્કાલિક દોડધામ મચી જવા પામી હતી. અચાનક બનેલી આ ઘટનાના પગલે સ્થાનિકો દ્વારા મુનાભાઇને મહામહેનતે ઉપરથી ઉતારી હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

શોક લાગવાના કારણે યુવાનની હાલત ગંભીર જણાતા હાજર લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. ઇજાગ્રસ્ત મુન્નાભાઈ ચાવડાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર દરમ્યાન મોત થયુ હતુ આ ઘટના બાદ વીજ તંત્રની બેદરકારીને કારણે વધુ એક વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત થતા

 સ્થાનિક લોકોએ પીજીવીસીએલ વિભાગની કામગીરી અને જર્જરિત વીજ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે અને જવાબદારો સામે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. લોકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકોને જીવ ખોવાનો વારો આવ્યો હતો

jeet

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago