વઢવાણ ધોળીપોળમાં PGVCLની બેદરકારી બેનર લગાવવા ગયેલા યુવકને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયુ
સેવાભાવી યુવાનોએ 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયો સારવાર દરમ્યાન મોત નીપજ્યુ
સુરેન્દ્રનગર : વઢવાણ શહેરના ધોળીપોળ વિસ્તારમાં પીજીવીસીએલ (PGVCL) વિભાગની ઘોર બેદરકારીના આક્ષેપો સાથે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ આક્રોશનું તાત્કાલિક કારણ એ બન્યું કે બેનર લગાવવાની કામગીરી કરી રહેલા એક સેવાભાવી યુવાનને અચાનક ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો.
મળતી માહિતી મુજબ, મુન્નાભાઈ ચાવડા નામના સેવાભાવી યુવાન ધોળીપોળ દરવાજા ઉપર બેનર લગાવી રહ્યા હતા. તે જ સમયે, કોઈ અગમ્ય કારણોસર તેમને ઇલેક્ટ્રિક શોક લાગતા તાત્કાલિક દોડધામ મચી જવા પામી હતી. અચાનક બનેલી આ ઘટનાના પગલે સ્થાનિકો દ્વારા મુનાભાઇને મહામહેનતે ઉપરથી ઉતારી હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
શોક લાગવાના કારણે યુવાનની હાલત ગંભીર જણાતા હાજર લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. ઇજાગ્રસ્ત મુન્નાભાઈ ચાવડાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર દરમ્યાન મોત થયુ હતુ આ ઘટના બાદ વીજ તંત્રની બેદરકારીને કારણે વધુ એક વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત થતા
સ્થાનિક લોકોએ પીજીવીસીએલ વિભાગની કામગીરી અને જર્જરિત વીજ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે અને જવાબદારો સામે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. લોકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકોને જીવ ખોવાનો વારો આવ્યો હતો
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…