Categories: Uncategorized

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભળેલા 5 ગામના ખેડૂતો અને બીલ્ડરોએ નોંધાવ્યો વિરોધ..

મનપા લોકોના વિકાસ માટે બની છે કે વિનાશ માટે ? બિલ્ડરો ખેડુતો

ડી-4 માંથી ડી-2નો દરજ્જો આપવા મુદ્દે વિરોધ..

માળોદ , ખેરાળી, ચમારજ,મુળચંદ, ખમિયાણા ગામના 20 હજાર થી વધુ ખેડૂતોની જમીનો પર થશે અસર..

સુરેન્દ્રનગર નગરપાલિકાને કોર્પોરેશનનો દરરજો આપવામાં આવેલ છે તેનાથી પાંચ ગામના ખેડુતો આનંદની લાગણી છવાયેલી છે પણ તે હવે લોકોને આશા બંધાણી છે કે શહેરનો વિકાસ ઝડપથી થઇ શકશે.પણ મહાનગર બન્યું ત્યાર થી ખેડૂતો અને કોન્ટ્રાક્ટરો પરેશાન બન્યા છે.

23 જૂનના રોજ શહેરી વિકાસ સચિવનાં હુકમથી સુરેન્દ્રનગર કોર્પોરેશનને ડી-4 માં થી ડી-2 નો દરરજો આપવામાં આવેલ છે જે મોટા શહેરો ને ડી-2 માં રાખવામાં આવેલ છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લો ઘણો પછત છે અહીંયા રોજગારી ની તકો ખુબ જ ઓછી છે ડી-2 માં ગ્રામ્યના પાંચ ગામ માળોદ , ખેરાળી, ચમારજ,મુળચંદ, ખમિયાણા આ ગામને કોર્પોરેશન માં સામેલ કરેલ છે તે સિવાય ના ખેડૂતો વઢવાણ , રતનપર,જોરાવરનગર ના 40% જમીન કપાત રાખવામાં આવે છે તે નિયમ સુરેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તાર માટે ઘણો જ અઘરો છે ખેડુતો બેહાલ થઇ જશે ગ્રામ્ય ની આર્થિક સ્થિતી હાલકડોલક છે તેવા સંજોગો માં ૪૦% જમીન કપાત નિયમ ગ્રામ્ય વિસ્તારમાં ઉભું થાય તેવી પૂરેપૂરી શક્યતા છે ખેડૂતો તેમના ખેતરની કિમંત 40% ઘટી જશે.

આર્થિક મોટો ફટકો પડશે વિસ્તાર ના પાંચ ગામ જોડવાની જે વાત ચાલે છે તે ગામને અસર સર્જાશે આ સાથે શહેરને પણ એટલે કે સુરેન્દ્રનગર- વઢવાણ-રતનપર-જોરાવરનગર-દુધરેજ એવા ગામોને પણ અત્યંત નુકશાન થશે અને ખેડુતો સરકાર સાથે છીએ. સરકાર સામે કોઇ આંદોલન નથી પણ સરકારસાથે કોઇ ખેડુતોની સરકાર સામે રજુઆત કરવાની ફરજ છે કારણ કે જુનાગઢમાં કોર્પોરેશન બન્યા પછી ૮ વર્ષ પછી 40% નું કપાત લાગુ કરેલ તો આ જીલ્લામાં આઠ વર્ષ પછી લાગુ કરવું જોઈએ તેવી વિનંતી છે. વઢવાણ તાલુકાના દરેક ગામમાં અતિવ્રુષ્ટી જેવું ( વરસાદ ) ના કારણે અનેક ગામના ખેડુતો બેહાલ નુકશાની ભોગવી રહ્યા છે ત્યારે પાકધિરાણ માફ કરવા જોઇએ તેમજ 100% વળતર ચુકવવું જોઇએ તેવી માંગણી કરવામાં આવી છે..

● 1990 થી 2025 સુધીમાં સુરેન્દ્રનગર ને એક પણ TP નવી નહીં મળી – કોન્ટ્રાક્ટરોનો જન આક્રોશ.

1990 માં સુરેન્દ્રનગર શહેરના વિકાસ થાય તે માટે 3 નવી ટી.પી જાહેર કરવામાં આવી હતી પરંતુ ત્યાર પછી 2025 સુધીમાં સરકાર દ્વારા તંત્ર દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા એક પણ નવી ટીપી જાહેર કરવામાં આવી નથી જેને લઇને કોન્ટ્રાક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે અન્ય જિલ્લાઓમાં 60 થી 65 જેટલી નવી ટીપીઓ જાહેર કરી અને વિકાસના કામો થાય તે પ્રકારના પ્રયાસો સરકાર અને તંત્ર એ હાથ ભર્યા છે 2017માં સુડા બનાવવામાં આવ્યું પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી ન કરવામાં આવી હોવાનો પણ કોન્ટ્રાક્ટરો દ્વારા કલેક્ટર કચેરીમાં રજૂઆત દરમિયાન આક્ષેપો કરવામાં આવ્યો છે સોસાયટીઓ ડેવલપિંગ થાય છે પરંતુ તેમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટો કોઈ પણ પ્રકારની સુવિધા પાલિકા કે તંત્ર નથી આપતું કોન્ટ્રાક્ટરને જ આ સુવિધાઓ પૂરી પાડવી પડી રહી છે એટલે કોઈ પણ પ્રકારની 1990 પછી સુરેન્દ્રનગર જિલ્લામાં નવી ટીપી આવી નથી જેની લઈ કલેક્ટરમાં કોન્ટ્રાક્ટરોએ પણ રજૂઆત કરી છે.

● ડી-4 માંથી ડી-2નો દરજ્જો મળશે તો જિલ્લાના 20,000 થી વધુ ખેડૂતોની 40% જમીનો કપાતમાં જતી રહેશે..

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાંના 20,000 થી વધુ ખાતેદારો ની જમીન ઉપર તોડાતું જોખમ છે કારણ કે નવો નિયમ મહાનગરપાલિકા નો જાહેર કરવામાં આવશે તો તેમાં 40% જેટલી જમીનો છે તે કપાતમાં જતી રહેશે જેને લઈને ખેતરો જમીનોની કિંમત ઘટી જશે તેવું ખેડૂતોએ અંદાજ લગાવ્યો છે ત્યારે તંત્ર દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા આ અંગે વિચારણા કરવામાં આવે અને ડી-4 માંથી ડી-2 નો દરજ્જો ન આપવા અંગે પણ ખેડૂતોએ કલેકટરને રજૂઆત કરી છે…

જુના બીનખેતીના ભાવો અને અત્યારના ભાવોમા મોટી તફાવત સર્જાશે

સુરેન્દ્રનગર શહેર તેમજ આજુબાજુના વિસ્તારમા દાખલા તરીકે કોઇ બીનખેતી ડેવલોપમેન્ટ કરેલ જગ્યાનો ભાવ 5000 વારછે એનીજ બાજુમા આવેલ ખેતર 40% કપાતના કારણે કાચી જગ્યા ડેવલોપમેન્ટ વગરની પણ ઉચા ભાવે પડશે જેથી એનુ વેચાણ કરવુ અધરુ બનશે

10 એકરમાથી 4 એકર સરકારમા જાય

40% કપાતના કારણે 10 એકર જગ્યા હોયતો એમાથી 4 એકર જગ્યા સરકારમા જાય પછી વધેલી 6 એકરમા રોડ રસ્તા કોમનપ્લોટ આ જગ્યા અંદાજે 20 થી 25% કપાઇ જાય પાછળ વધે એના ભાવ કોણ આપે આથી 40% કપાત નો નિયમ હાલ સ્થગિત કરવા માંગ કરાઇ છે

40%કપાતના કારણે 500 કરોડનુ ટર્નઓવર ઠપ્પ થયુ અનેક ધંધારોજગાર વાળા બેકાર બન્યા

સરકાર દ્રારા 40%કપાત કરાતા સુરેન્દ્રનગર શહેર સહીત આજુબાજુના 5 ગામોમા બાંધકામ ના કામો ઠપ્પ થય ગયાછે એના કારણે કડીયા મંજુરો રેતી સીમેન્ટ કપચી પથ્થરો મીસ્ત્રીકામ કલરકામ સહીતના કામો ઠપ્પ થય જતા આ તમામ કામો સાથે સંકળાયેલા લોકો હાલ બેકાર બન્યા છે

ડી 4મા ડેવલોપીગ ચાર્જ 150 ડી 2 મા 300 થયો

અગાઉ ડી 4 મા ડેવલોપીગ ચાર્જ મીટરે 150 હતો હવે ડી 2 મા આવતા આજ ચાર્જ મીટેરે 300 થય જતા આર્થિક ફટકો એમા પણ પડ્યો હોવાની બિલ્ડરોએ રજુઆત કરી હતી

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago