Categories: Uncategorized

સુરેન્દ્રનગરના ૬૦ ફૂટ રોડ ઉપર આવેલા આઇકોનિક રોડ ઉપર ના ગેરકાયદેસર દબાણો દૂર કરવા કમિશનરને કરાઈ રજૂઆત..

એકને ગોળ એકને ખોળની નીતિ અપનાવતા મનપા અધીકારીઓ

સુરેન્દ્રનગર નો ૬૦ ફૂટ રોડ મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક બનાવવામાં આવી રહ્યો છે.

પરંતુ આ રોડ ઉપર જ દબાણો કરવામાં આવ્યા છે..

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં આવેલ 60 ફૂટ રોડ છે તે આઈકોનીક રોડ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે અને હાલમાં તેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે ત્યારે કોર્પોરેશન દ્વારા આ રોડ વિકસાવવામાં આવી રહ્યો છે 24 મીટર નો આ રોડ છે જે બંને સાઇડ 12 મીટર સેન્ટર લાઈનથી છે અને હાલમાં રોડ 11 મીટરનો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે આ રોડનો કામ ચાલુ છે ત્યારે દબાણ પણ દૂર કરવા માટે સ્થાનિક વેપારી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરી અને તમામ નિયમો સરખા રાખી અને તમામ ગેરકાયદેસર બાંધકામો હટાવવા માંગ કરવામાં આવી રહી છે તમામ કોમ્પ્લેક્સ શોમાં ગેરકાયદેસર બાંધકામ થયા હોવાનો આક્ષેપ લેખિત રજૂઆત સ્વરૂપે કમિશનર સમક્ષ કરવામાં આવ્યો છે ખાસ કરીને પટેલ બોર્ડિંગ સામેના ભાગે આવેલા કોમ્પલેક્ષમાં પણ ગેરકાયદેસર બાંધકામ થયા હોવાનું લેખિતમાં કમિશનરને જણાવવામાં આવ્યું છે આ સમગ્ર બાબતે તપાસ કરી અને યોગ્ય રીતે દબાણો દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.

 

ભૂંભાણી અતુલભાઇ નામના અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો ગાંધીજીઆ માર્ગે આંદોલનની ચીમકી પણ વિચારવામાં આવી છે રાજકીય વર્ગ ધરાવતા અને પૈસા પાત્ર માણસો હોય તેમના દબાણનો ઈરાદાપૂર્વક દૂર નથી કરવામાં આવતા તેઓ પણ લેખિત અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે દબાણો દૂર કરવામાં નહીં આવે તો ગાંધીજીઆ માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે અને આ મુદ્દે કમિશનરને લેખિત અરજી કરવામાં આવી છે

24 મીટરનો આઇકોનીક રોડ અમુક જગ્યાએ 20 મીટરો થયો

શહેરના અલકાપુરી રોડથી શરુ કરાયેલ આઇકોનીક રોડ આગળ જતા અનેક મોટા માથાઓના દબાણોછે 24 મીટરની જગ્યાએ 20 મીટરનો રોડ બનેછે પરંતુ મનપા ત્યા કાર્યવાહી કરવામા આખ આડા કાન કરી રહ્યાછે અને નાના વેપારીઓના સામાન્ય ઓટલાઓ પણ નથી છોડયા લોકોની માંગ છે તમામ રોડ એક સરખો અને નીયમ મુજબ બનાવવો

jeet

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

13 hours ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

1 day ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

1 day ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

1 day ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

1 day ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

5 days ago