Categories: Uncategorized

સુરેન્દ્રનગરના ૬૦ ફૂટ રોડ ઉપર આવેલા આઇકોનિક રોડ ઉપર ના ગેરકાયદેસર દબાણો દૂર કરવા કમિશનરને કરાઈ રજૂઆત..

એકને ગોળ એકને ખોળની નીતિ અપનાવતા મનપા અધીકારીઓ

સુરેન્દ્રનગર નો ૬૦ ફૂટ રોડ મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક બનાવવામાં આવી રહ્યો છે.

પરંતુ આ રોડ ઉપર જ દબાણો કરવામાં આવ્યા છે..

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં આવેલ 60 ફૂટ રોડ છે તે આઈકોનીક રોડ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે અને હાલમાં તેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે ત્યારે કોર્પોરેશન દ્વારા આ રોડ વિકસાવવામાં આવી રહ્યો છે 24 મીટર નો આ રોડ છે જે બંને સાઇડ 12 મીટર સેન્ટર લાઈનથી છે અને હાલમાં રોડ 11 મીટરનો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે આ રોડનો કામ ચાલુ છે ત્યારે દબાણ પણ દૂર કરવા માટે સ્થાનિક વેપારી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરી અને તમામ નિયમો સરખા રાખી અને તમામ ગેરકાયદેસર બાંધકામો હટાવવા માંગ કરવામાં આવી રહી છે તમામ કોમ્પ્લેક્સ શોમાં ગેરકાયદેસર બાંધકામ થયા હોવાનો આક્ષેપ લેખિત રજૂઆત સ્વરૂપે કમિશનર સમક્ષ કરવામાં આવ્યો છે ખાસ કરીને પટેલ બોર્ડિંગ સામેના ભાગે આવેલા કોમ્પલેક્ષમાં પણ ગેરકાયદેસર બાંધકામ થયા હોવાનું લેખિતમાં કમિશનરને જણાવવામાં આવ્યું છે આ સમગ્ર બાબતે તપાસ કરી અને યોગ્ય રીતે દબાણો દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.

 

ભૂંભાણી અતુલભાઇ નામના અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો ગાંધીજીઆ માર્ગે આંદોલનની ચીમકી પણ વિચારવામાં આવી છે રાજકીય વર્ગ ધરાવતા અને પૈસા પાત્ર માણસો હોય તેમના દબાણનો ઈરાદાપૂર્વક દૂર નથી કરવામાં આવતા તેઓ પણ લેખિત અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે દબાણો દૂર કરવામાં નહીં આવે તો ગાંધીજીઆ માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે અને આ મુદ્દે કમિશનરને લેખિત અરજી કરવામાં આવી છે

24 મીટરનો આઇકોનીક રોડ અમુક જગ્યાએ 20 મીટરો થયો

શહેરના અલકાપુરી રોડથી શરુ કરાયેલ આઇકોનીક રોડ આગળ જતા અનેક મોટા માથાઓના દબાણોછે 24 મીટરની જગ્યાએ 20 મીટરનો રોડ બનેછે પરંતુ મનપા ત્યા કાર્યવાહી કરવામા આખ આડા કાન કરી રહ્યાછે અને નાના વેપારીઓના સામાન્ય ઓટલાઓ પણ નથી છોડયા લોકોની માંગ છે તમામ રોડ એક સરખો અને નીયમ મુજબ બનાવવો

jeet

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago