Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, દૈનિક 100 ખેડૂતની મગફળી ખરીદાશે

  • પ્રતિ મણ રૂ. ૧૪૫૨ના ભાવે ખરીદી શરૂ, મુળી તાલુકાના 4700 ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડવાનું લક્ષ્ય
  • સુવ્યવસ્થિત મોનિટરિંગ સાથે દૈનિક ૧૦૦ ખેડૂતોની મગફળી ખરીદાશે.
  • ખેડૂતોએ પ્રાંત અધિકારી અને કૃષિ અધિકારીને રજૂઆત કરી ક્વોલિટીમાં બાંધછોડ આપવા કરી માંગ

ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે, આજથી મૂળી APMC ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.

એપીએમસી સેક્રેટરી જીતેન્દ્રસિંહ પરમારે ખરીદ પ્રક્રિયા અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રતિ મણ મગફળીનો ટેકાનો ભાવ રૂ. ૧૪૫૨થી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. મુળી સેન્ટર ઉપર અંદાજિત ૪૭૦૦ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આજે, મુહૂર્તમાં, શરૂઆતમાં ૧૦ ખેડૂતોને SMS દ્વારા જાણ કરીને બોલાવવામાં આવ્યા છે.

આગામી દિવસોમાં પ્રતિ દિવસ અંદાજિત ૧૦૦ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવશે. ખરીદ કેન્દ્ર પર ખેડૂતોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે પૂરતી કાળજી રાખવામાં આવી છે અને સુવ્યવસ્થિત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સરકારી પહેલથી ખેડૂતોને તેમની મગફળીના સારા ભાવ મળી રહેશે અને તેમને આર્થિક ટેકો પૂરો પાડવામાં આવશે. આમ વ્યવસ્થિત આયોજનને કારણે ખરીદીની પ્રક્રિયા ઝડપી અને પારદર્શી રીતે પૂર્ણ થશે..

● વરસાદના કારણે મગફળીની ક્વોલિટી થોડી ખરાબ થઈ છે તેમાં બાંધછોડ આપવા ખેડૂતોએ અધિકારીઓ સમક્ષ માંગ કરી..

તાજેતરમાં જે પાછળ નો વરસાદ થયો છે અને માવઠાના કારણે વરસાદ થયો છે જેને લઇને ખેડૂતોના ખેતરમાં પડેલી મગફળી છે તે પલડી જવા પામી છે પરિણામે ખેડૂતોની મગફળી છે તેની ક્વોલિટી થોડી ખરાબ થઈ ગઈ છે ત્યારે હાલ ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ૨૦૦ ગ્રામ મગફળી માંથી ૧૪૦ ગ્રામ દાણા નીકળવા ફરજિયાત છે પરંતુ તેમાં થોડી કરી અને થોડી ક્વોલિટી ખરાબ હોય તો પણ મગફળીની ખરીદી કરી લેવા ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારી અને કૃષિ વિભાગના અધિકારીઓ સમક્ષ માં કરવામાં આવી છે..

● ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ પરંતુ કારીગરોની અછત પૂરતા કારીગરો કેન્દ્ર ઉપર ઉપલબ્ધ કરવા આપવામાં આવી સૂચના..

ટેકાના ભાવે મગફળી ખરીદીનો સુરેન્દ્રનગરના મૂળી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે પરંતુ પ્રથમ દિવસે ખેડૂતો દ્વારા મહુર્ત કરવા માટે મગફળીનું વેચાણ કરવામાં આવ્યું છે ત્યારે કારીગરોની અછત હોવાના કારણે થોડી હાલાકીનો સામનો છે તે કરવો પડ્યો હતો. પરંતુ કૃષિ અધિકારી મુકેશ પરમાર દ્વારા માર્કેટિંગ યાર્ડના હાજર કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી કે પૂરતા કર્મચારીઓ ઉપલબ્ધ કરવામાં આવે અને વ્યવસ્થિત રીતે ટેકા ના ભાવે મગફળીની ખરીદી થાય તે પ્રકારની તકેદારી રાખવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી..

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago