સુરેન્દ્રનગર : સાયલા આશીર્વાદ ટ્રસ્ટ દ્વારા સાધન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ તાલુકાના દિવ્યાંગ ભાઈઓ-બહેનોને સહાયક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને વ્હીલચેર, ટ્રાયસિકલ, સિલાઈ મશીન સહિતના જીવન-જરૂરી સાધનો વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.
માનવસેવાના આ ઉમદા કાર્યક્રમમાં ધ્રાંગધ્રા તાલુકાના દિવ્યાંગ સમાજ સેવિકા દેપાળા સીતાબેન અને રાજેશભાઈએ સંસ્થા સાથે સંકલન સાધીને તાલુકાના લાભાર્થીઓ માટે પાંચ જેટલી ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સહાય મળવાથી દિવ્યાંગ ભાઈઓ-બહેનોના જીવનમાં નવી આશા, આત્મવિશ્વાસ અને સુવિધાનો સંચાર થયો છે. ટ્રસ્ટના આ પ્રયાસથી દિવ્યાંગોને સમાજમાં સન્માનભેર અને સ્વાવલંબી જીવન જીવવામાં મોટી મદદ મળી રહેશે. માનવતાના આ કાર્યને સૌએ બિરદાવ્યું હતું.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…