હેલિકોપ્ટરમાં જાન લઈ અને પિતાની ઈચ્છા પૂર્ણ કરવા પુત્ર પરણવા પહોંચ્યો..
હેલિકોપ્ટરમાં જાન આવતા નાના એવા ખાંભડા ગામમાં લોકો જોવા ઉમટી પડ્યા…
સુરેન્દ્રનગરના જોરાવર નગર વિસ્તારમાં વસવાટ કરતા પીડી રાઠોડ નું થોડા સમય પહેલા અવસાન થયું હતું ત્યારે પોતાના પુત્રની જાન લઈ અને હેલિકોપ્ટરમાં જવાની તેમની તીવ્ર ઈચ્છા હતી અને જીવનની તેમની આ છેલ્લી ઈચ્છા હતી કે પોતાના પુત્રની જાન હેલિકોપ્ટરમાં જાય ત્યારે તેમનો પુત્ર રાજેન્દ્ર રાઠોડ ના લગ્ન કરવામાં આવ્યા છે અને પોતા ના મૃત પિતાની ઈચ્છા પૂરી કરવા પુત્ર રાજેન્દ્ર રાઠોડ હેલિકોપ્ટરમાં જાન લઈ અને ખાંભડા ગામે પહોંચ્યો હતો..
જોકે નાના એવા ખાંભડા ગામમાં હેલિકોપ્ટરમાં જાન ગઈ હોવાના કારણે સ્થાનિક લોકો પણ નજારો જોવા માટે હેલીપેડ ઉપર આવી પહોંચ્યા હતા ત્યારે પોતાના મૃતક પિતાની ઈચ્છા માટે પુત્ર એ પોતાની જાન હેલિકોપ્ટરમાં લઈ જવાનું નક્કી કર્યું અને ત્યારબાદ હેલિકોપ્ટરમાં જાન પણ લઈ જવામાં આવી ત્યારે આ દરમિયાન નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા નાગબાઈ માં ના મોણીયા ધામના મહંત શ્રી વિજય બાપુ સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.
મૃતક પિતાની ઈચ્છા પૂર્ણ કરતો પુત્રને જોઈ અને પરિવાર ની આંખમાં પણ આંસુ જોવા મળ્યા હતા અને હેલિકોપ્ટરમાં જાન લઈ પહોંચેલા વરરાજા ને પરણાવી અને ત્યારબાદ નવદંપતીને ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ પણ આશીર્વાદ આપ્યા હતા..
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…