હેલિકોપ્ટરમાં જાન લઈ અને પિતાની ઈચ્છા પૂર્ણ કરવા પુત્ર પરણવા પહોંચ્યો..
હેલિકોપ્ટરમાં જાન આવતા નાના એવા ખાંભડા ગામમાં લોકો જોવા ઉમટી પડ્યા…
સુરેન્દ્રનગરના જોરાવર નગર વિસ્તારમાં વસવાટ કરતા પીડી રાઠોડ નું થોડા સમય પહેલા અવસાન થયું હતું ત્યારે પોતાના પુત્રની જાન લઈ અને હેલિકોપ્ટરમાં જવાની તેમની તીવ્ર ઈચ્છા હતી અને જીવનની તેમની આ છેલ્લી ઈચ્છા હતી કે પોતાના પુત્રની જાન હેલિકોપ્ટરમાં જાય ત્યારે તેમનો પુત્ર રાજેન્દ્ર રાઠોડ ના લગ્ન કરવામાં આવ્યા છે અને પોતા ના મૃત પિતાની ઈચ્છા પૂરી કરવા પુત્ર રાજેન્દ્ર રાઠોડ હેલિકોપ્ટરમાં જાન લઈ અને ખાંભડા ગામે પહોંચ્યો હતો..
જોકે નાના એવા ખાંભડા ગામમાં હેલિકોપ્ટરમાં જાન ગઈ હોવાના કારણે સ્થાનિક લોકો પણ નજારો જોવા માટે હેલીપેડ ઉપર આવી પહોંચ્યા હતા ત્યારે પોતાના મૃતક પિતાની ઈચ્છા માટે પુત્ર એ પોતાની જાન હેલિકોપ્ટરમાં લઈ જવાનું નક્કી કર્યું અને ત્યારબાદ હેલિકોપ્ટરમાં જાન પણ લઈ જવામાં આવી ત્યારે આ દરમિયાન નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા નાગબાઈ માં ના મોણીયા ધામના મહંત શ્રી વિજય બાપુ સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.
મૃતક પિતાની ઈચ્છા પૂર્ણ કરતો પુત્રને જોઈ અને પરિવાર ની આંખમાં પણ આંસુ જોવા મળ્યા હતા અને હેલિકોપ્ટરમાં જાન લઈ પહોંચેલા વરરાજા ને પરણાવી અને ત્યારબાદ નવદંપતીને ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ પણ આશીર્વાદ આપ્યા હતા..
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…