સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં ફિલ્ટર વગરનું ડોહળું અને કેમિકલયુક્ત પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં શુદ્ધ પાણી પહોંચાડવા માટે મનપા દ્વારા કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે, તેમ છતાં ગણપતિ ફાટસર જેવા વિસ્તારોમાં ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવવાની ફરિયાદો સતત વધી રહી છે.
આ વિસ્તારના અંદાજે 1000 થી વધુ મકાનોમાં આવતા આ પ્રદૂષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોનું અનુમાન છે કે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડવાને કારણે ડ્રેનેજનું ગંદુ પાણી મર્જ થઈ ગયું છે.
આ ગંભીર સમસ્યા અંગે મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. રહીશોની માંગ છે કે તૂટેલી પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ કરી શુદ્ધ ફિલ્ટરયુક્ત પાણીનું વિતરણ શરૂ કરવામાં આવે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…