સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ વિભાગમાં 6.41 કરોડના ખર્ચે નવા આધુનિક વાહનોનો ઉમેરો થયો છે. નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે આ વાહનોનું ફ્લેગ-ઓફ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ નવા વાહનોમાં 71 લાખના ખર્ચે તૈયાર થયેલ ક્વિક રિસ્પોન્સ વેહિકલનો પણ સમાવેશ થાય છે, જે સાંકડી ગલીઓ અને ગીચ વિસ્તારોમાં ઝડપથી પહોંચી શકશે. આ આધુનિક સાધનો 20 મીટરની ઊંચાઈ અને સાત માળ સુધીની ઈમારતોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા સક્ષમ છે.
આ પ્રસંગે “શહેરી વિકાસ વર્ષ 2026” પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, આ સુવિધાથી જાન-માલનું નુકસાન અટકાવી શકાશે. મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગ્વાહાણેએ જણાવ્યું કે માર્ચ મહિનાના અંતિમ દિવસે શહેરીજનોએ 85 લાખના વેરાની ભરપાઈ કરી છે, જે બદલ તેમણે નાગરિકોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા સહિત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…