Surendranagar

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 6.41 કરોડના આધુનિક ફાયર વાહનોનું લોકાર્પણ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ વિભાગમાં 6.41 કરોડના ખર્ચે નવા આધુનિક વાહનોનો ઉમેરો થયો છે. નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે આ વાહનોનું ફ્લેગ-ઓફ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ નવા વાહનોમાં 71 લાખના ખર્ચે તૈયાર થયેલ ક્વિક રિસ્પોન્સ વેહિકલનો પણ સમાવેશ થાય છે, જે સાંકડી ગલીઓ અને ગીચ વિસ્તારોમાં ઝડપથી પહોંચી શકશે. આ આધુનિક સાધનો 20 મીટરની ઊંચાઈ અને સાત માળ સુધીની ઈમારતોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા સક્ષમ છે.

આ પ્રસંગે “શહેરી વિકાસ વર્ષ 2026” પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, આ સુવિધાથી જાન-માલનું નુકસાન અટકાવી શકાશે. મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગ્વાહાણેએ જણાવ્યું કે માર્ચ મહિનાના અંતિમ દિવસે શહેરીજનોએ 85 લાખના વેરાની ભરપાઈ કરી છે, જે બદલ તેમણે નાગરિકોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા સહિત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago