ધ્રાંગધ્રામાં પીજીવીસીએલ (PGVCL) વિભાગીય કચેરી દ્વારા વીજ બિલની લાંબા સમયથી બાકી વસૂલાત માટે આકરા પગલાં લેવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આગામી 17 માર્ચના રોજ સમગ્ર ધ્રાંગધ્રા પંથકમાં ‘મેગા ડિસકનેક્શન ડ્રાઇવ’ યોજાશે. તંત્રના જણાવ્યા અનુસાર, કુલ 2463 ગ્રાહકો પાસેથી રૂ. 74.22 લાખની માતબર રકમ વસૂલવાની બાકી છે.
PGVCL દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જે ગ્રાહકો નિયત સમય મર્યાદામાં પોતાના વીજ બિલની ભરપાઈ નહીં કરે, તેમના વીજ કનેક્શન કોઈપણ પૂર્વ સૂચના વગર તાત્કાલિક કાપી નાખવામાં આવશે. નાયબ કાર્યપાલક ઈજનેરે ગ્રાહકોને અપીલ કરી છે કે અંધારપટ અને કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે 17 માર્ચ પહેલાં બાકી રકમ જમા કરાવી દેવી. આ અભિયાનને સફળ બનાવવા માટે વીજ વિભાગે વિવિધ ટીમોનું પણ ગઠન કર્યું છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…