ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા અને સોલડી સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) દ્વારા સંયુક્ત રીતે વાર્ષિકોત્સવ અને સ્નેહમિલન સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારીઓ, બી.આર.સી. અને સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ સહિત શૈક્ષણિક જગતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાની બાળાઓ દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને દેશભક્તિ જેવા વિષયો પર પ્રેરણાદાયી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી તારલાઓ તેમજ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે શિલ્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત વક્તાઓએ આધુનિક ટેકનોલોજીના યુગમાં કન્યા શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમમાં રજૂ થયેલી કૃતિઓએ શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો, જેમાં વાલીઓ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વાર્ષિકોત્સવ દ્વારા દીકરીઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણના પાયાને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…