Subscribe for notification
Categories: Dhrangadhra

ધાંગધ્રામાં ખોટા દસ્તાવેજો જમીન પચાવી પાડવાનું કાવતરું કરનાર 3 શખ્સો ઝડપાયા

ધ્રાંગધ્રાના કુંભાર પરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પુનાભાઈ દલવાડીની વડીલોપાર્જિત જમીન પચાવી પાડવા માટે ત્રણ શખ્સોએ ભેગા મળીને કાવતરું રચ્યું હતું. આરોપીઓએ પ્રેમજીભાઈની જાણ બહાર અંગ્રેજીમાં ખોટી ‘પાવર ઓફ એટર્ની’ કરાવી હતી અને તેમની નકલી સહીઓ કરીને ખોટા વાઉચર બનાવ્યા હતા.

આ ઠગબાજોએ દસ્તાવેજોમાં એવું દર્શાવ્યું હતું કે તેઓએ પ્રેમજીભાઈને 11.15 લાખ રૂપિયા ચૂકવી દીધા છે. આ ખોટા દસ્તાવેજોનો અસલ તરીકે ઉપયોગ કરી જમીન હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા ધાંગધ્રા સીટી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ગુનામાં સામેલ સંજય ઉર્ફે બિલ્લો મનાભાઈ સરવૈયા, ચંદ્રેશભાઈ ગોપાલભાઈ ગોલતર અને સુરેશભાઈ ઉર્ફે કાઠી નાનુભાઈ રાતડીયા નામના ત્રણ શખ્સોની અટકાયત કરી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ આર્થિક લાભ મેળવવા માટે આખું માળખું ઊભું કર્યું હતું. હાલમાં ધાંગધ્રા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને છેતરપિંડીની રકમ રિકવર કરવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ કિસ્સાએ જિલ્લામાં જમીન લે-વેચમાં થતી છેતરપિંડી અંગે જાગૃતિ લાવી દીધી છે. પોલીસ વિભાગ દ્વારા અન્ય કોઈ વ્યક્તિ આ કાવતરામાં સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. જમીન પચાવી પાડવાના આ કેસમાં કડક કાર્યવાહી કરીને પોલીસે ગુનેગારોને કાયદાનું ભાન કરાવ્યું છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

11 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago