ધ્રાંગધ્રામાં આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવાની કવાયત તેજ કરવામાં આવી છે. આજરોજ શહેર પ્રભારી જિજ્ઞાશાબેન નાયક અને રમિલાબેન મકવાણાની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા શહેર ભાજપ કારોબારીની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેર પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ અને મહામંત્રી રાજદીપકસિંહ પરમાર સહિતના અગ્રણીઓએ સંગઠનની શક્તિ અને આગામી કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પક્ષમાં વિશેષ જવાબદારી સંભાળનાર અને શ્રેષ્ઠ કામગીરી કરનાર હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી ફિરોઝભાઈ મકરાણી, પાટડી પ્રભારી જીતુભાઈ ચૌહાણ, મૂળી પ્રભારી કિરીટસિંહ જાડેજા અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાનું અભિવાદન કરાયું હતું. શક્તિ કેન્દ્રના સંયોજકો અને કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકે કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો છે, જ્યાં સૌએ આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે મક્કમ સંકલ્પ લીધો હતો.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…