સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા ભારે પવનને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. કુદરતના માર સામે ફરી એકવાર જગતનો તાત લાચાર જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વરિયાળીનો પાક પવનના કારણે આડો પડી ગયો છે અને છોડ તૂટી જવાથી વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત, ચણાના પાકને પણ ભારે અસર પહોંચી છે; ખેતરોમાં રાખેલા ચણાના પાથરા પવનમાં ઉડી ગયા છે અને પોપટા ખરી પડતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
માત્ર વરિયાળી કે ચણા જ નહીં, પરંતુ અજમા અને જીરાના પાક પર પણ પવનની ગંભીર અસરો જોવા મળી છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતાં સુરેન્દ્રનગરના ખેડૂતો દેવાદાર બનવાની ભીતિ સેવાઈ રહી છે. મહિનાઓની સખત મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. પાયમાલ થયેલા ખેડૂતોએ હવે પોતાની આજીવિકા બચાવવા માટે સરકાર સામે મદદની પોકાર લગાવી છે અને તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…