સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા ભારે પવનને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. કુદરતના માર સામે ફરી એકવાર જગતનો તાત લાચાર જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વરિયાળીનો પાક પવનના કારણે આડો પડી ગયો છે અને છોડ તૂટી જવાથી વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત, ચણાના પાકને પણ ભારે અસર પહોંચી છે; ખેતરોમાં રાખેલા ચણાના પાથરા પવનમાં ઉડી ગયા છે અને પોપટા ખરી પડતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
માત્ર વરિયાળી કે ચણા જ નહીં, પરંતુ અજમા અને જીરાના પાક પર પણ પવનની ગંભીર અસરો જોવા મળી છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતાં સુરેન્દ્રનગરના ખેડૂતો દેવાદાર બનવાની ભીતિ સેવાઈ રહી છે. મહિનાઓની સખત મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. પાયમાલ થયેલા ખેડૂતોએ હવે પોતાની આજીવિકા બચાવવા માટે સરકાર સામે મદદની પોકાર લગાવી છે અને તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…