વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’માં આ વખતે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામની દીકરી પાયલબેન મુંજપરા ચમક્યા છે. પાયલબેન ‘સેવા’ સંસ્થા સાથે જોડાઈને સોલાર ફિટિંગ કમ હેલ્પર તરીકેની વિશેષ તાલીમ લીધા બાદ પીએમ સૂર્ય ઘર યોજનામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ ઘરે-ઘરે જઈને લોકોને સૌર ઊર્જાના ફાયદા સમજાવે છે અને સોલાર પેનલ ફિટિંગનું કામ કરીને આર્થિક રીતે સ્વનિર્ભર બન્યા છે.
વડાપ્રધાને પાયલબેનના આ ઉત્કૃષ્ટ કાર્યની સરાહના કરતા જણાવ્યું હતું કે, પાયલબેન માત્ર પોતે જ રોજગારી નથી મેળવી રહ્યા, પરંતુ અન્ય મહિલાઓને પણ તાલીમ આપીને સ્વનિર્ભર બનવા પ્રેરિત કરી રહ્યા છે. રવિવારે પ્રસારિત થયેલા કાર્યક્રમમાં પાયલબેનના સંઘર્ષ અને સફળતાની ગાથા દેશભરના શ્રોતાઓ સુધી પહોંચી હતી.
કેન્દ્ર સરકારની સોલાર યોજનાને જન-જન સુધી પહોંચાડવામાં પાયલબેન જેવી મહિલાઓનો ફાળો મહત્વનો છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ ભરાડા ગામ સહિત સમગ્ર ઝાલાવાડમાં હર્ષની લાગણી ફેલાઈ છે. પીએમ મોદીએ અન્ય મહિલાઓને પણ સરકારી યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…