ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા અને સોલડી સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) દ્વારા સંયુક્ત રીતે વાર્ષિકોત્સવ અને સ્નેહમિલન સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારીઓ, બી.આર.સી. અને સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ સહિત શૈક્ષણિક જગતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાની બાળાઓ દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને દેશભક્તિ જેવા વિષયો પર પ્રેરણાદાયી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી તારલાઓ તેમજ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે શિલ્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત વક્તાઓએ આધુનિક ટેકનોલોજીના યુગમાં કન્યા શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમમાં રજૂ થયેલી કૃતિઓએ શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો, જેમાં વાલીઓ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વાર્ષિકોત્સવ દ્વારા દીકરીઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણના પાયાને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…