ધ્રાંગધ્રાના બાવળી ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં છેલ્લા 1 અઠવાડિયાથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ગત સપ્તાહે આવેલા મીની વાવાઝોડાને કારણે વીજ પોલ અને લાઈનોમાં સર્જાયેલી ખામી હજુ સુધી સુધારવામાં આવી નથી. પિયત માટે વીજળી ન મળતા રોષે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં PGVCL કચેરીએ ઉમટી પડ્યા હતા અને ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો.
અગાઉ અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. PGVCLના અધિકારીઓએ આગામી શુક્રવાર બપોર સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની હૈયાધારણા આપી છે. જો કે, ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો નિયત સમયમાં વીજળી શરૂ નહીં થાય તો તેઓ રેલી કાઢી જલદ આંદોલન કરશે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…