ધ્રાંગધ્રાના બાવળી ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં છેલ્લા 1 અઠવાડિયાથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ગત સપ્તાહે આવેલા મીની વાવાઝોડાને કારણે વીજ પોલ અને લાઈનોમાં સર્જાયેલી ખામી હજુ સુધી સુધારવામાં આવી નથી. પિયત માટે વીજળી ન મળતા રોષે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં PGVCL કચેરીએ ઉમટી પડ્યા હતા અને ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો.
અગાઉ અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. PGVCLના અધિકારીઓએ આગામી શુક્રવાર બપોર સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની હૈયાધારણા આપી છે. જો કે, ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો નિયત સમયમાં વીજળી શરૂ નહીં થાય તો તેઓ રેલી કાઢી જલદ આંદોલન કરશે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…