ચોટીલાના દેવસર (Devsar) ગામે જૂની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો (Attack) થયો હોવાનું સામે આવ્યું છે. અગાઉ એક સમૂહ લગ્ન (Mass Marriage) માં થયેલી માથાકૂટનો ખાર રાખીને શૈલેષભાઈ છનાભાઈ વાઘેલા નામના યુવકને નિશાન બનાવવામાં આવ્યો હતો.
ભોગ બનનાર યુવક જ્યારે પોતાનું ટ્રેક્ટર (Tractor) લઈને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે રાજાવડ ગામના ચાર શખ્સોએ તેને અટકાવી બોલાચાલી કરી હતી.
જોકે, તે સમયે શૈલેષભાઈ ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ બાદમાં ગામની એક દુકાન પાસે આ શખ્સોએ ફરી તેમને ઘેરી લીધા હતા. “તે દિવસે તો સમૂહ લગ્નમાં ભીડ હતી એટલે બચી ગયો, પણ આજે તને જીવતો નથી છોડવો” તેમ કહી આરોપીઓએ કુંડલીવાળી લાકડી (Stick) અને પાઇપ વડે હુમલો કર્યો હતો.
આ હુમલામાં યુવકને હાથે ફેક્ચર (Fracture) જેવી ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યો છે. ચોટીલા પોલીસે (Police) ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ (Investigation) હાથ ધરી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…