સુરેન્દ્રનગર: ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે રતનપર-જોરાવનગર વિસ્તારના વોર્ડ નંબર 10માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ રિબન કાપીને કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ અને ભાજપના અગ્રણી નેતા હિમાંશુ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક મતદારો અને ઉત્સાહી કાર્યકરો ઉમટી પડ્યા હતા. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઉપસ્થિત જનમેદનીએ ભાજપના ચારેય ઉમેદવારોને જંગી મતોની સરસાઈથી વિજયી બનાવવા માટે દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.ધારાસભ્ય અને અગ્રણી નેતાઓએ કાર્યકરોને માર્ગદર્શન આપી સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ ઘરે-ઘરે પહોંચાડવા આહવાન કર્યું હતું.
આ કાર્યાલયના પ્રારંભ સાથે જ વોર્ડ નંબર 10 માં ભાજપનો પ્રચાર વેગવંત બન્યો છે અને કાર્યકરોમાં જીતનો વિશ્વાસ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. લખતરના…