Surendranagar

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

  • ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું
  • ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા મતદારોનો મક્કમ નિર્ધાર

સુરેન્દ્રનગર: ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે રતનપર-જોરાવનગર વિસ્તારના વોર્ડ નંબર 10માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ રિબન કાપીને કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ અને ભાજપના અગ્રણી નેતા હિમાંશુ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક મતદારો અને ઉત્સાહી કાર્યકરો ઉમટી પડ્યા હતા. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ઉપસ્થિત જનમેદનીએ ભાજપના ચારેય ઉમેદવારોને જંગી મતોની સરસાઈથી વિજયી બનાવવા માટે દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.ધારાસભ્ય અને અગ્રણી નેતાઓએ કાર્યકરોને માર્ગદર્શન આપી સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ ઘરે-ઘરે પહોંચાડવા આહવાન કર્યું હતું.

આ કાર્યાલયના પ્રારંભ સાથે જ વોર્ડ નંબર 10 માં ભાજપનો પ્રચાર વેગવંત બન્યો છે અને કાર્યકરોમાં જીતનો વિશ્વાસ જોવા મળી રહ્યો છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

17 hours ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

17 hours ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

17 hours ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

17 hours ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

4 days ago

લખતર હાઈવે પર કાળમુખો ટ્રક પદયાત્રીઓ પર ફરી વળ્યો; રાજકોટના શ્રદ્ધાળુઓ સહિત 7 ના કરુણ મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. લખતરના…

4 days ago