સુરેન્દ્રનગર: ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે રતનપર-જોરાવનગર વિસ્તારના વોર્ડ નંબર 10માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ રિબન કાપીને કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ અને ભાજપના અગ્રણી નેતા હિમાંશુ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક મતદારો અને ઉત્સાહી કાર્યકરો ઉમટી પડ્યા હતા. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઉપસ્થિત જનમેદનીએ ભાજપના ચારેય ઉમેદવારોને જંગી મતોની સરસાઈથી વિજયી બનાવવા માટે દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.ધારાસભ્ય અને અગ્રણી નેતાઓએ કાર્યકરોને માર્ગદર્શન આપી સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ ઘરે-ઘરે પહોંચાડવા આહવાન કર્યું હતું.
આ કાર્યાલયના પ્રારંભ સાથે જ વોર્ડ નંબર 10 માં ભાજપનો પ્રચાર વેગવંત બન્યો છે અને કાર્યકરોમાં જીતનો વિશ્વાસ જોવા મળી રહ્યો છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…