Chotila

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.

આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસ લિમિટેડ કંપનીની પવનચક્કીમાંથી અજાણ્યા તસ્કરો (Burglars) અંદાજે 500 કિલો કોપર અને એલ્યુમિનિયમ કેબલોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ મામલે આણંદપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સોર્સ (Technical Source) અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે તાજપર ગામના અજીતભાઈ વિહાભાઈ ગાબુ અને ગુંદા ગામના દિલીપભાઈ છગનભાઈ સોલંકીએ આ ચોરીને અંજામ આપ્યો હતો.

પોલીસે આરોપી અજીત ગાબુની ધરપકડ (Arrest) કરી તેની પૂછપરછ કરતા ચોરીના મુદ્દામાલનું વેચાણ કર્યું હોવાનું કબૂલ્યું હતું. પોલીસે વેચાણ કરેલ સ્થળેથી ₹5 લાખની કિંમતનું 500 કિલો કોપર (Copper) અને ₹32,000 ના એલ્યુમિનિયમ કેબલ મળી કુલ ₹5.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

હાલમાં મુખ્ય આરોપી દિલીપ સોલંકી હજુ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

3 hours ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

16 hours ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

16 hours ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

16 hours ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

4 days ago

લખતર હાઈવે પર કાળમુખો ટ્રક પદયાત્રીઓ પર ફરી વળ્યો; રાજકોટના શ્રદ્ધાળુઓ સહિત 7 ના કરુણ મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. લખતરના…

4 days ago