સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.
આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસ લિમિટેડ કંપનીની પવનચક્કીમાંથી અજાણ્યા તસ્કરો (Burglars) અંદાજે 500 કિલો કોપર અને એલ્યુમિનિયમ કેબલોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ મામલે આણંદપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સોર્સ (Technical Source) અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે તાજપર ગામના અજીતભાઈ વિહાભાઈ ગાબુ અને ગુંદા ગામના દિલીપભાઈ છગનભાઈ સોલંકીએ આ ચોરીને અંજામ આપ્યો હતો.
પોલીસે આરોપી અજીત ગાબુની ધરપકડ (Arrest) કરી તેની પૂછપરછ કરતા ચોરીના મુદ્દામાલનું વેચાણ કર્યું હોવાનું કબૂલ્યું હતું. પોલીસે વેચાણ કરેલ સ્થળેથી ₹5 લાખની કિંમતનું 500 કિલો કોપર (Copper) અને ₹32,000 ના એલ્યુમિનિયમ કેબલ મળી કુલ ₹5.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
હાલમાં મુખ્ય આરોપી દિલીપ સોલંકી હજુ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. લખતરના…