Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરના ૬૦ ફૂટ રોડ ઉપર આવેલા આઇકોનિક રોડ ઉપર ના ગેરકાયદેસર દબાણો દૂર કરવા કમિશનરને કરાઈ રજૂઆત..

jeet 8 November 2025
20251108_115648_0000

એકને ગોળ એકને ખોળની નીતિ અપનાવતા મનપા અધીકારીઓ

સુરેન્દ્રનગર નો ૬૦ ફૂટ રોડ મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક બનાવવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Group

પરંતુ આ રોડ ઉપર જ દબાણો કરવામાં આવ્યા છે..

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં આવેલ 60 ફૂટ રોડ છે તે આઈકોનીક રોડ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે અને હાલમાં તેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે ત્યારે કોર્પોરેશન દ્વારા આ રોડ વિકસાવવામાં આવી રહ્યો છે 24 મીટર નો આ રોડ છે જે બંને સાઇડ 12 મીટર સેન્ટર લાઈનથી છે અને હાલમાં રોડ 11 મીટરનો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે આ રોડનો કામ ચાલુ છે ત્યારે દબાણ પણ દૂર કરવા માટે સ્થાનિક વેપારી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરી અને તમામ નિયમો સરખા રાખી અને તમામ ગેરકાયદેસર બાંધકામો હટાવવા માંગ કરવામાં આવી રહી છે તમામ કોમ્પ્લેક્સ શોમાં ગેરકાયદેસર બાંધકામ થયા હોવાનો આક્ષેપ લેખિત રજૂઆત સ્વરૂપે કમિશનર સમક્ષ કરવામાં આવ્યો છે ખાસ કરીને પટેલ બોર્ડિંગ સામેના ભાગે આવેલા કોમ્પલેક્ષમાં પણ ગેરકાયદેસર બાંધકામ થયા હોવાનું લેખિતમાં કમિશનરને જણાવવામાં આવ્યું છે આ સમગ્ર બાબતે તપાસ કરી અને યોગ્ય રીતે દબાણો દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.

 

ભૂંભાણી અતુલભાઇ નામના અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો ગાંધીજીઆ માર્ગે આંદોલનની ચીમકી પણ વિચારવામાં આવી છે રાજકીય વર્ગ ધરાવતા અને પૈસા પાત્ર માણસો હોય તેમના દબાણનો ઈરાદાપૂર્વક દૂર નથી કરવામાં આવતા તેઓ પણ લેખિત અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે દબાણો દૂર કરવામાં નહીં આવે તો ગાંધીજીઆ માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે અને આ મુદ્દે કમિશનરને લેખિત અરજી કરવામાં આવી છે

24 મીટરનો આઇકોનીક રોડ અમુક જગ્યાએ 20 મીટરો થયો

શહેરના અલકાપુરી રોડથી શરુ કરાયેલ આઇકોનીક રોડ આગળ જતા અનેક મોટા માથાઓના દબાણોછે 24 મીટરની જગ્યાએ 20 મીટરનો રોડ બનેછે પરંતુ મનપા ત્યા કાર્યવાહી કરવામા આખ આડા કાન કરી રહ્યાછે અને નાના વેપારીઓના સામાન્ય ઓટલાઓ પણ નથી છોડયા લોકોની માંગ છે તમામ રોડ એક સરખો અને નીયમ મુજબ બનાવવો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પાણસીણા પોલીસ સૂતી રહી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા..
Next: સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભળેલા 5 ગામના ખેડૂતો અને બીલ્ડરોએ નોંધાવ્યો વિરોધ..

Related News

surendranagar-awas-yojana-residents-protest-for-basic-amenities

સુરેન્દ્રનગરઃ આવાસ યોજનામાં પાણી-સ્વચ્છતાનો અભાવ; લોકોમાં રોષ

surendranagarupdate1@gmail.com 30 June 2026
MP Chandu Sihora

સુરેન્દ્રનગરના અગરિયાઓનો પ્રશ્ન લોકસભામાં ગુંજ્યો: સાંસદ ચંદુ સિહોરાએ વળતર અને વ્યાજમુક્ત લોનની કરી માંગ

surendranagarupdate1@gmail.com 29 March 2026
Untitled design (96)

પોલીસ હવે પ્રજાના દ્વારે : સુરેન્દ્રનગરમાં યોજાશે ‘લોકદરબાર અને અરજી મેળો’

user 2 11 March 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add