વઢવાણ ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાએ’નૂતન વર્ષ સ્નેહ મિલન’નું આયોજન કર્યુ
‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પ સાથે સ્વદેશી દિવાળીની હાકલ
સુરેન્દ્રનગર: વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા તારીખ નવા વર્ષ નિમિત્તે એક વિશેષ ‘નૂતન વર્ષ સ્નેહ મિલન’ કાર્યક્રમ યોજાયો હતો. જેમા હજારોની સંખ્યામા મતદારો વિવિધ સંસ્થાઓ ડોકટરો વિવિધ જ્ઞાતીના આગેવાની બિલ્ડરો વેપારીઓ અને આજુબાજુ ગામોના સરપંચો અને લોકો જોડાયા હતા આ કાર્યક્રમ માત્ર શુભેચ્છા મુલાકાત પૂરતો સીમિત ન રહેતા, એક રાષ્ટ્રીય વિચારધારાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ બન્યો છે.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ આ સ્નેહ મિલન કાર્યક્રમ દ્વારા સૌ નાગરિકોને દિવાળીના પર્વને અનુલક્ષીને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પ સાથે સ્વદેશી દિવાળી ઉજવવાની હાકલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “નવા વર્ષની પ્રથમ કિરણ સાથે આપણે પ્રેમ, સૌહાર્દ અને સ્વદેશી ઉર્જાનો દીપ પ્રગટાવવાનો સંકલ્પ કર્યો છે.” આ દિવાળીએ સૌએ મળીને સ્વદેશી પ્રકાશ ફેલાવીને રાષ્ટ્રના આર્થિક સ્વાભિમાનને મજબૂત કરવાનો સંકલ્પ લેવા માટે ધારાસભ્યેઅનુરોધ કર્યો છે.
નવા વર્ષના પ્રારંભે, મળવાની અને શુભેચ્છા આદાન-પ્રદાન કરવાની પરંપરાને જીવંત રાખવા તેમજ સામાજિક સ્નેહના બંધનોને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્યથી આ સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ માત્ર સ્નેહનું નહીં, પણ “સ્વદેશી વિચારધારા”ને સમાજ સુધી પહોંચાડવાનું એક અસરકારક માધ્યમ બનશે. તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે સૌને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીને અને સ્વાભિમાન સાથે દિપાળીની ઉજવણી કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે અનુરોધ પણ કર્યો છે.જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિહ ચૌહાણ મહામંત્રી હાર્દિકભાઈ ટમાલીયા સહીતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભા વિસ્તારના તેમજ સુરેન્દ્રનગર શહેરના તમામ નાગરિકોને ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલથી સ્થાનિક ઉદ્યોગો અને કારીગરોને પ્રોત્સાહન આપવા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…