Dhrangadhra

ધ્રાંગધ્રાના નરાલી ગામમાં આર્મી જવાનના અંતિમ સંસ્કાર, ભારે હૃદયથી વિદાય

ધ્રાંગધ્રાના નરાળી ગામે આર્મી જવાનની અંતિમયાત્રા ભારે થી હૈયે વિદાય

આર્મી અધિકારીઓ પરીવારજનો ગ્રામજનોની વચ્ચે ગાર્ડ ઓફ ઓનર અપાયુ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના વતની અને દેશની રક્ષા માટે સરહદ પર ફરજ બજાવતા આર્મી જવાન મુલાડીયા વહાણભાઈ શવજીભાઈનું જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન નિધન થયું છે. જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ પર હતા ત્યારે વહાણભાઈ વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બન્યા હતા. તેમની તબિયત વધુ ગંભીર બનતાં તેમનું અવસાન થયું હતું. દેશ માટે ફરજ દરમિયાન અવસાન થવાને કારણે તેમને ‘શહીદ’નો દરજ્જો મળ્યો છે.

વીર શહીદ જવાનના પાર્થિવ દેહને તેમના વતન નરાળી ગામે અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો. શહીદ જવાન વહાણભાઈની અંતિમ યાત્રા ધ્રાંગધ્રાના કુડા ચોકડીથી નરાળી ગામ સુધી કાઢવામાં આવી હતી. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આર્મી જવાનની અંતિમ યાત્રા દરમિયાન આખું ગામ શોકમગ્ન બની ગયું હતું.

ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામમાં જ્યારે શહીદ જવાનનો પાર્થિવ દેહ પહોંચ્યો ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ગામના લોકોએ ભારે હૃદયે પોતાના વીર સપૂતને વિદાય આપી હતી. અંતિમ યાત્રામાં ‘શહીદ વહાણભાઈ અમર રહો’ના નારા ગુંજ્યા હતા. શહીદ જવાનને અંતિમ સલામી આપવા માટે આર્મીના જવાનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વહાણભાઈના નિધનથી માત્ર નરાળી ગામ જ નહીં, પરંતુ સમગ્ર પંથકમાં શોકની ગહેરી લાગણી પ્રસરી ગઈ છે. દેશની રક્ષા કરતા શહીદ થયેલા વહાણભાઈ મુલાડીયાએ પોતાના બલિદાનથી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

jeet

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago