શ્રી સમસ્ત સતવારા સમાજ શૈક્ષણિક યુવા મંડળ ખોડુ દ્વારા નવમો ઈનામ વિતરણ સમારોહ યોજાયો
સુરેન્દ્રનગર: ખોડુ ગામે સમસ્ત સતવારા સમાજ શૈક્ષણિક યુવા મંડળ દ્વારા સમાજની ભોજનશાળા ખાતે નવમા ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણના મહત્વને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ શુભ પ્રસંગે સમસ્ત સતવારા સમાજ દ્વારા સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ એકસાથે ભોજનનો લાભ લીધો હતો.
કાર્યક્રમમાં સમાજના વિકાસમાં યોગદાન આપનાર ભરતભાઈ પરમાર, હરેશભાઈ ડાભી, શંકરભાઈ દલવાડી તેમજ અન્ય મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહમાં સમાજના આગેવાનો, ગ્રામજનો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ પ્રેમી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આમ, યુવા મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને એકતાનો સંદેશો આપ્યો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…