ગુજરાત રાજ્યના ૭૩ તાલુકાઓમાં મીડીએશન સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, લીંબડી અને પાટડી તાલુકાઓમાં પણ મીડીએશન સેન્ટરનું ઉદ્ઘાટન થયું
સુરેન્દ્રનગર: નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના વિવિધ ૭૩ તાલુકાઓમાં મીડીએશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. આ તમામ સેન્ટરોનું ઉદ્ઘાટન તા.૦૮/૧૦/૨૦૨૫ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, લીંબડી અને પાટડી તાલુકાઓમાં પણ મીડીએશન સેન્ટરનું ઉદ્ઘાટન થયું હતું.
આ પ્રસંગે સુપ્રિમ કોર્ટના જજ ઓગસ્ટીન જયોર્જ મસીહ નાઓએ ૭૩ જુદા જુદા તાલુકાઓમાં વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ન્યાયની અદાલતોમાં ન્યાય પ્રક્રિયામાં ઘણો સમય વીતી જાય છે, જ્યારે મીડીએશન દ્વારા પક્ષકારોના પ્રશ્નોનો સુખદ રીતે નિવેડો લાવવામાં આવે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ગુજરાત રાજ્યમાં આ ૭૩ સેન્ટરોની સ્થાપનાથી પક્ષકારો તેમજ ન્યાય પ્રક્રિયા સાથે જોડાયેલા તમામને ઘણો ફાયદો થશે.
આ શુભ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ સુનિતા અગ્રવાલ, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના એકઝીકયુટીવ ચેરમેન ન્યાયમુર્તિ એ.વાય.કોગ્ઝે, ગુજરાત રાજય વડી અદાલતના ન્યાયમુર્તિ એ. આઈ. સુપૈયા અને ગુજરાત રાજય વડી અદાલતના તમામ ન્યાયમુર્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ એસ. વી. પીન્ટો નાઓએ આભાર વિધિ સાથે પ્રવચન આપ્યું હતું.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…