Surendranagar

સુરેન્દ્રનગરના મફતીયાપરામાં પાયાગત સુવિધાના અભાવે લોકોનો આક્રોશ: ‘વિસાવદરવાળી’ કરવાની ચીમકી

સુરેન્દ્રનગરના મફતીયાપરામાં પાયાગત સુવિધાના અભાવે લોકોનો આક્રોશ: ‘વિસાવદરવાળી’ કરવાની ચીમકી

ગટર પાણી ગંદકી સહીતની સમસ્યાઓ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર એકમાં આવેલા મફતીયાપરા વિસ્તારના રહીશોએ વિસ્તારમાં પાયાગત સુવિધાઓના અભાવે સરકારી તંત્ર અને સ્થાનિક નેતાઓ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. રસ્તા, ગટર અને અન્ય જરૂરી સુવિધાઓ સમયસર પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ જતાં સ્થાનિકોએ આક્રોશ સાથે ‘વિસાવદર વાળી’ કરવાની ચીમકી ઉચ્ચારી છે, જે રાજકીય સ્તરે સત્તાધીશોની બેદરકારી બદલ કડક પગલાં લેવાનો ઈશારો કરે છે.

મફતીયાપરાના રહીશોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તેમના વિસ્તારમાં રસ્તાઓ બન્યા નથી. વરસાદના કારણે સર્જાયેલા કીચડ અને ગંદકીના કારણે સ્થાનિકોને જીવન જીવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કીચડ એટલો ગંભીર છે કે તેના કારણે અનેક સ્થાનિકો લપસી પડ્યા છે અને ફેક્ચર થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેને પગલે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આ બાબતે તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ચૂંટણીના સમયે મત લેવા માટે નેતાઓ લોકો પાસે જઈને મોટા મોટા વચનો આપે છે અને મીઠી વાતો કરીને મત મેળવી લે છે, પરંતુ એકવાર ચૂંટણી પૂરી થયા બાદ તેઓ વિસ્તારના વિકાસના કામો કરવામાં નિષ્ફળ જાય છે. મતદારોના આક્ષેપો મુજબ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિસ્તારની અવગણના કરી રહ્યા છે અને માત્ર રાજકારણમાં વ્યસ્ત રહે છે, જેના કારણે મફતીયાપરાના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.

રહીશોએ જણાવ્યું કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જો ટૂંક સમયમાં જ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નહીં આવે અને પાયાગત સુવિધાઓ જેવી કે સારા રસ્તા અને ગટર વ્યવસ્થા પૂરી પાડવામાં નહીં આવે, તો તેઓ આગામી સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન અને રાજકીય વિરોધ કરશે.

jeet

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

18 hours ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

1 day ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

1 day ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

1 day ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

1 day ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

5 days ago