Surendranagar

સુરેન્દ્રનગરના મફતીયાપરામાં પાયાગત સુવિધાના અભાવે લોકોનો આક્રોશ: ‘વિસાવદરવાળી’ કરવાની ચીમકી

સુરેન્દ્રનગરના મફતીયાપરામાં પાયાગત સુવિધાના અભાવે લોકોનો આક્રોશ: ‘વિસાવદરવાળી’ કરવાની ચીમકી

ગટર પાણી ગંદકી સહીતની સમસ્યાઓ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર એકમાં આવેલા મફતીયાપરા વિસ્તારના રહીશોએ વિસ્તારમાં પાયાગત સુવિધાઓના અભાવે સરકારી તંત્ર અને સ્થાનિક નેતાઓ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. રસ્તા, ગટર અને અન્ય જરૂરી સુવિધાઓ સમયસર પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ જતાં સ્થાનિકોએ આક્રોશ સાથે ‘વિસાવદર વાળી’ કરવાની ચીમકી ઉચ્ચારી છે, જે રાજકીય સ્તરે સત્તાધીશોની બેદરકારી બદલ કડક પગલાં લેવાનો ઈશારો કરે છે.

મફતીયાપરાના રહીશોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તેમના વિસ્તારમાં રસ્તાઓ બન્યા નથી. વરસાદના કારણે સર્જાયેલા કીચડ અને ગંદકીના કારણે સ્થાનિકોને જીવન જીવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કીચડ એટલો ગંભીર છે કે તેના કારણે અનેક સ્થાનિકો લપસી પડ્યા છે અને ફેક્ચર થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેને પગલે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આ બાબતે તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ચૂંટણીના સમયે મત લેવા માટે નેતાઓ લોકો પાસે જઈને મોટા મોટા વચનો આપે છે અને મીઠી વાતો કરીને મત મેળવી લે છે, પરંતુ એકવાર ચૂંટણી પૂરી થયા બાદ તેઓ વિસ્તારના વિકાસના કામો કરવામાં નિષ્ફળ જાય છે. મતદારોના આક્ષેપો મુજબ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિસ્તારની અવગણના કરી રહ્યા છે અને માત્ર રાજકારણમાં વ્યસ્ત રહે છે, જેના કારણે મફતીયાપરાના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.

રહીશોએ જણાવ્યું કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જો ટૂંક સમયમાં જ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નહીં આવે અને પાયાગત સુવિધાઓ જેવી કે સારા રસ્તા અને ગટર વ્યવસ્થા પૂરી પાડવામાં નહીં આવે, તો તેઓ આગામી સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન અને રાજકીય વિરોધ કરશે.

jeet

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago