Surendranagar

સુરેન્દ્રનગરના મફતીયાપરામાં પાયાગત સુવિધાના અભાવે લોકોનો આક્રોશ: ‘વિસાવદરવાળી’ કરવાની ચીમકી

સુરેન્દ્રનગરના મફતીયાપરામાં પાયાગત સુવિધાના અભાવે લોકોનો આક્રોશ: ‘વિસાવદરવાળી’ કરવાની ચીમકી

ગટર પાણી ગંદકી સહીતની સમસ્યાઓ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર એકમાં આવેલા મફતીયાપરા વિસ્તારના રહીશોએ વિસ્તારમાં પાયાગત સુવિધાઓના અભાવે સરકારી તંત્ર અને સ્થાનિક નેતાઓ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. રસ્તા, ગટર અને અન્ય જરૂરી સુવિધાઓ સમયસર પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ જતાં સ્થાનિકોએ આક્રોશ સાથે ‘વિસાવદર વાળી’ કરવાની ચીમકી ઉચ્ચારી છે, જે રાજકીય સ્તરે સત્તાધીશોની બેદરકારી બદલ કડક પગલાં લેવાનો ઈશારો કરે છે.

મફતીયાપરાના રહીશોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તેમના વિસ્તારમાં રસ્તાઓ બન્યા નથી. વરસાદના કારણે સર્જાયેલા કીચડ અને ગંદકીના કારણે સ્થાનિકોને જીવન જીવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કીચડ એટલો ગંભીર છે કે તેના કારણે અનેક સ્થાનિકો લપસી પડ્યા છે અને ફેક્ચર થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેને પગલે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આ બાબતે તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ચૂંટણીના સમયે મત લેવા માટે નેતાઓ લોકો પાસે જઈને મોટા મોટા વચનો આપે છે અને મીઠી વાતો કરીને મત મેળવી લે છે, પરંતુ એકવાર ચૂંટણી પૂરી થયા બાદ તેઓ વિસ્તારના વિકાસના કામો કરવામાં નિષ્ફળ જાય છે. મતદારોના આક્ષેપો મુજબ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિસ્તારની અવગણના કરી રહ્યા છે અને માત્ર રાજકારણમાં વ્યસ્ત રહે છે, જેના કારણે મફતીયાપરાના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.

રહીશોએ જણાવ્યું કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જો ટૂંક સમયમાં જ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નહીં આવે અને પાયાગત સુવિધાઓ જેવી કે સારા રસ્તા અને ગટર વ્યવસ્થા પૂરી પાડવામાં નહીં આવે, તો તેઓ આગામી સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન અને રાજકીય વિરોધ કરશે.

jeet

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago