સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ (Elections) ને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ લોકશાહીના પર્વમાં દરેક શ્રમયોગી (Laborers) પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા (Paid Holiday) જાહેર કરવામાં આવી છે.
આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થની અખબારી યાદી મુજબ, કારખાના ધારા અને કન્સ્ટ્રક્શન એક્ટ હેઠળ નોંધાયેલ તમામ સંસ્થાઓએ કર્મચારીઓને રજા આપવાની રહેશે.
લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ ૧૩૫(બી) મુજબ, આ રજાના કારણે કર્મચારીના પગારમાં (Salary) કોઈ પણ પ્રકારની કપાત કરી શકાશે નહીં.
જો કોઈ સંસ્થા કે કારખાનેદાર આ નિયમોનું ઉલ્લંઘન (Violation) કરશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી (Punitive Action) કરવામાં આવશે. સતત પ્રક્રિયા વાળા એકમોમાં પણ શ્રમયોગીઓને મતદાન માટે ૩ થી ૪ કલાકની વિશેષ રજા આપવી ફરજિયાત છે.
SMC ના દરોડા બાદ ફરજમાં બેદરકારી બદલ કડક એક્શન ચોટીલાના PI જયદીપ સોલંકી અને PSI…
Surendranagar Stray Dog Attack| સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં રખડતા શ્વાન કરડવાની ઘટનાઓ સતત વધી રહી છે.…
Online Grievance Redressal | સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુખાકારી અને જનહિતના પ્રશ્નોના ઝડપી તેમજ…
Agariya Awas Yojana | ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોર્ડના સભ્ય સચિવ…
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…