સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ (Elections) ને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ લોકશાહીના પર્વમાં દરેક શ્રમયોગી (Laborers) પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા (Paid Holiday) જાહેર કરવામાં આવી છે.
આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થની અખબારી યાદી મુજબ, કારખાના ધારા અને કન્સ્ટ્રક્શન એક્ટ હેઠળ નોંધાયેલ તમામ સંસ્થાઓએ કર્મચારીઓને રજા આપવાની રહેશે.
લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ ૧૩૫(બી) મુજબ, આ રજાના કારણે કર્મચારીના પગારમાં (Salary) કોઈ પણ પ્રકારની કપાત કરી શકાશે નહીં.
જો કોઈ સંસ્થા કે કારખાનેદાર આ નિયમોનું ઉલ્લંઘન (Violation) કરશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી (Punitive Action) કરવામાં આવશે. સતત પ્રક્રિયા વાળા એકમોમાં પણ શ્રમયોગીઓને મતદાન માટે ૩ થી ૪ કલાકની વિશેષ રજા આપવી ફરજિયાત છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…