Surendranagar

સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં હડકાયા શ્વાને10થી વધુ લોકોને બચકા ભર્યા, પાલિકાની બેદરકારી સામે રોષ

Surendranagar Stray Dog Attack| સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં રખડતા શ્વાન કરડવાની ઘટનાઓ સતત વધી રહી છે. સુરેન્દ્રનગર શહેરનો મહાનગરપાલિકામાં સમાવેશ તો કરાયો છે, પરંતુ તંત્ર પાસે રખડતા કે હડકાયા શ્વાન પકડવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ નથી.

અગાઉ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં સામે આવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં 5,300 થી વધુ શ્વાન વસવાટ કરે છે. તે સમયે તંત્ર દ્વારા શ્વાનની યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ સર્વે પૂર્ણ થયા બાદ પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

દરમિયાન સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક હડકાયા શ્વાને આતંક મચાવી 10 થી વધુ લોકોને બચકા ભરી લીધા છે. જેમાં શાળાએ જઈ રહેલા 3 જેટલા વિદ્યાર્થીઓ પણ આ રખડતા શ્વાનનો ભોગ બન્યા છે.

શ્વાને લોકોના હાથ, પગ અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં તમામ દર્દીઓને હડકવા વિરોધી (એન્ટી-રેબિઝ) રસી આપીને જરૂરી ડ્રેસિંગ અને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો દ્વારા હડકાયા શ્વાનને પકડવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, અધિકારીઓ તરફથી રખડતા શ્વાન પકડવા માટેની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાનો બેજવાબદાર નકારાત્મક ઉત્તર મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

એકસાથે 10 થી વધુ લોકોને શ્વાન કરડવાની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક નાગરિકોએ મહાનગરપાલિકા પાસે તાત્કાલિક ધોરણે શ્વાન પકડવાની ટીમ બનાવવા અને જરૂરી સાધન-સામગ્રી વસાવીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ સપાટો બોલાવ્યો: ચોટીલા કેમિકલ ચોરી પ્રકરણમાં PI, PSI સહિત 4 સસ્પેન્ડ, LCB આખી બદલાઈ!

SMC ના દરોડા બાદ ફરજમાં બેદરકારી બદલ કડક એક્શન ચોટીલાના PI જયદીપ સોલંકી અને PSI…

19 hours ago

સુરેન્દ્રનગરમાં હવે ઓનલાઈન જનસુનાવણી: કલેક્ટર જી. એચ. સોલંકી વીડિયો કોન્ફરન્સથી સાંભળશે અરજદારોની ફરિયાદો

Online Grievance Redressal | સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુખાકારી અને જનહિતના પ્રશ્નોના ઝડપી તેમજ…

22 hours ago

સુરેન્દ્રનગરના રણમાં અગરીયાઓ માટે નવી આવાસ યોજના: અધિક શ્રમ આયુક્ત ડૉ. વાય. એમ. શેખ દ્વારા સ્થળ તપાસ

Agariya Awas Yojana | ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોર્ડના સભ્ય સચિવ…

23 hours ago

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

3 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

3 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

3 weeks ago